• નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું
  • સરકાર છેલ્લા 10 વર્ષના કામકાજ પર એક શ્વેતપત્ર બહાર પાડશે
  • દેશ દ્વારા જારી કરાયેલ શ્વેતપત્ર એ એક પ્રકારનો અહેવાલ છે

નાણાકીય વર્ષ-2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મંત્રાલયો માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેની સાથે જ પીએમ મોદીએ વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું છે.

શ્વેતપત્ર બહાર પાડશે સરકાર

પૂર્વીય રાજ્યો અંગે નાણામંત્રી સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને વિકાસના આગલા તબક્કાનું એન્જિન બનાવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર છેલ્લા 10 વર્ષના કામકાજ પર એક શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે, જેમાં પાછલા 10 વર્ષની કામગીરી સાથે સરખામણી કરવામાં આવશે.

શું હોય છે શ્વેતપત્ર?

રાજદ્વારીઓ અથવા દેશ દ્વારા જારી કરાયેલ શ્વેતપત્ર એ એક પ્રકારનો અહેવાલ છે, જે જટિલ મુદ્દા પર ક્રમિક માહિતી આપે છે. તે સામાન્ય રીતે ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે કોઈ મુદ્દા પર ઘણા બધા મંતવ્યો એકસાથે આવી રહ્યા હોય અને લોકોને તેને સમજવામાં મુશ્કેલી આવી રહી હોય. આ શ્વેતપત્ર દ્વારા મુદ્દાને સમજવામાં આવે છે, કોઈપણ સમસ્યાનું સમાધાન મળે છે અને શ્વેત પત્રમાં લખેલી બાબતોમાંથી નિષ્કર્ષ પર પણ પહોંચી શકાય છે.

સૌપ્રથમ 1922માં રજૂ કરાયું શ્વેતપત્ર

શ્વેતપત્ર સૌપ્રથમ વર્ષ 1922 માં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે બ્રિટિશ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલે તેને રમખાણોના જવાબમાં બહાર પાડ્યું હતું. પછી તેને ‘ચર્ચિલ શ્વેતપત્ર’ પણ કહેવામાં આવ્યુ, જે ફરીથી ઉપયોગમાં આવ્યા પછી તેને શ્વેતપત્ર કહેવામાં આવ્યુ.

લોકશાહી દેશોમાં શ્વેતપત્રનું ખૂબ મહત્વ

લોકશાહી દેશોમાં રાજકારણીઓ નીતિ પર પોતાનો અભિપ્રાય આપવા અને લોકો માટે તેને સુલભ બનાવવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે છે. કેનેડામાં, શ્વેત પત્રો સીધા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી કોઈપણ નીતિ અંગે લોકોના અભિપ્રાય પણ જાહેર થશે.

સ્પષ્ટતા આપતી વખતે પણ જારી થાય છે શ્વેતપત્ર

શ્વેતપત્ર કોઈપણ વિષય પર હોઈ શકે છે, પરંતુ તે હંમેશા જે રીતે વસ્તુઓ કરવામાં આવે છે તેને સુધારવા માટે સૂચનો આપે છે. આ સિવાય સફાઈ આપતી વખતે પણ આ શ્વેતપત્ર આપવામાં આવે છે. આ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કે સરકાર કોઈ ખાસ બાબતે શું વિચારી રહી છે અને તે આ મામલે પોતાને કેટલી હદે દોષિત માને છે.

કેટલા પ્રકારના હોય છે પેપર?

  • અહીં માત્ર શ્વેતપત્ર નથી, પરંતુ તેના ઘણા પ્રકારો છે. રંગના આધારે તે નક્કી કરવામાં આવે છે કે કાગળ કઈ દિશા દર્શાવે છે એટલે કે તેનો હેતુ શું છે.
  • એક ગ્રીન પેપર છે. આ સરકારી કામ માટેનો ડ્રાફ્ટ કે પ્રસ્તાવ છે. આમાં કામની કોઈ ખાતરી નથી, બલ્કે આ રીતે કામ થઈ શકે તેવી રૂપરેખા દર્શાવે છે.
  • પિંક પેપર અમેરિકાના ઘણા રાજ્યોમાં જારી કરવામાં આવે છે. આમાં, નીતિની ચર્ચા કરવામાં આવે છે જે સીમિત લોકો સુધી મર્યાદિત છે.
  • બ્લુ પેપર ટેક્નોલોજી વિશે વાત કરે છે. એટલે કે બ્લુ પેપર દ્વારા સરકારી વિભાગો કેટલીક ટેકનિકલ બાબતની વાતો શેર કરે છે.
  • યલો પેપર એ એવું પેપર છે જેમાં કામને ફાઇનલ કરી દેવામાં આવ્યું હોય પરંતુ હજુ પ્રિન્ટ કરવાનું બાકી હોય તે દર્શાવાય છે. તેને પ્રીપ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • સામાન્ય રીતે, શ્વેતપત્ર પછી, દેશો હંમેશા અમુક પ્રકારનું રાજકીય વલણ અપનાવે છે. જેમ કે કોઈપણ નવો કાયદો બનાવી શકાય છે.

થોડા મહિનામાં યોજાવાની છે ચૂંટણી

દિવસની શરૂઆતમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ કારણોસર, સંપૂર્ણ બજેટને બદલે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું પણ આ સતત છઠ્ઠું બજેટ હતું. લોકસભામાં બજેટ રજૂ કર્યા બાદ સાંજે પરંપરાગત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા.

  • Follow us on: