• પ્રાચીન ગ્રંથોના ઊંડા રહસ્યોને સમજવામાં સેનાને મળશે મદદ
  • ભારતના સમૃદ્ધ વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ
  • પ્રાચીન જ્ઞાનને આધુનિક લશ્કરી શિક્ષણશાસ્ત્રનો ભાગ બનાવવાનો હેતુ

ભારતીય સેના પ્રાચીન ગ્રંથોની મદદથી રાજકૌશલ, યુદ્ધ કૂટનીતિ અને રણનીતિને નવી રીતે જોવામાં સક્ષમ બની રહી છે એવું સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેનું માનવું છે. સેના પ્રમુખે ગિસ્ટોરિકલ પેટર્ન ઈન ઈન્ડિયન સ્ટ્રેટિજિક કલ્ચર સંમેલનમાં આ ટિપ્પણી કરી હતી. તેઓએ તેનું શ્રેય પ્રોજેક્ટ ઉદ્ધવને પણ આપ્યું હતું.

ગયા વર્ષે શરૂ કરાયો હતો પ્રોજેક્ટ ઉદ્ધવ

હકીકતમાં, પ્રાચીન ગ્રંથોના ઊંડા રહસ્યોને મોટા પાયા પર સમજવા અને સેનામાં તેનો ઉપયોગ કરવા માટે ગયા વર્ષે 'પ્રોજેક્ટ ઉદ્ભવ' શરૂ કરવામાં આવ્યો હતો. મનોજ પાંડેએ કહ્યું છે કે આ પ્રોજેક્ટ ભારતીય સેનાને મહાભારતની મોટી લડાઇઓ, પ્રખ્યાત લશ્કરી હસ્તીઓના પરાક્રમી કારનામા અને ભારતના સમૃદ્ધ વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરી રહી છે.

‘પ્રોજેક્ટ ઉદ્ભવ’નો હેતુ શું છે?

પ્રોજેક્ટ ઉદ્ભવનો ઉદ્દેશ્ય પ્રાચીન જ્ઞાનને આધુનિક લશ્કરી શિક્ષણશાસ્ત્રનો ભાગ બનાવવાનો છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે સેનાએ હાલમાં એક પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું નામ પરંપરાગત રાખવામાં આવ્યું છે. તેમાં સમાવિષ્ટ તમામ વાક્યો પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભારતની સંસ્કૃતિ, વારસો, સૈન્ય ઇતિહાસ, મુત્સદ્દીગીરી અને વ્યૂહરચનાઓમાં અદ્ભુત ખજાનો છુપાયેલો છે. આ બધું જાણ્યા અને સમજ્યા પછી વર્ગખંડથી લઈને ક્ષેત્ર સુધીની તાલીમ દરમિયાન તેનો અમલ કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ અને સૈનિકોની તાલીમનો એક ભાગ બનશે.

મનોજ પાંડેએ શું કહ્યું?

જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે મને વિશ્વાસ છે કે 'ઉદ્ભવ પ્રોજેક્ટના કારણે ભારતીય સશસ્ત્ર દળો દેશના ઐતિહાસિક વારસાને સમજીને ભવિષ્ય માટે તૈયાર રહેવામાં હંમેશા આગળ રહેશે. આર્મી ચીફે ભારતીય સશસ્ત્ર દળોના ઈતિહાસ અને વારસાની ઉજવણીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તે જોઈને આનંદ થાય છે કે સશસ્ત્ર દળોના ઈતિહાસ અને વારસાને આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિ અને ઓળખના અભિન્ન અંગ તરીકે ઉજવવામાં આવે છે.

  • Follow us on: