- દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત
- આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના વર્તાઇ
- વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા સારું રહેશે
દેશનો મોટા ભાગની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. દરમિયાન હવામાનશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે મોટા પાયે વાતાવરણમાં થઇ રહલા ફેરફારના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે.
સેન્ટ્રલ પેસિફિક મહાસાગરના વોર્મિંગનો ઉલ્લેખ કરતા મહાપાત્રાએ કહ્યું કે, આ વર્ષે જૂનની શરૂઆત સુધીમાં અલ નીનોની અસર ઓછી થતી જણાઈ રહી છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં લા નીનાની સ્થિતિ જોવા મળી શકે છે. મધ્ય પેસિફિક મહાસાગરના ઠંડકની ઘટનાને લા નીના કહેવામાં આવે છે. મજબૂત અલ નીનો ઘટના નબળા ચોમાસાની સ્થિતિમાં પરિણમે છે, જે ભારતના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં દુષ્કાળ તરફ દોરી જાય છે, જ્યારે લા નીનાની ઘટના ભારતમાં સારા ચોમાસાના વરસાદ તરફ દોરી જાય છે.













