આજના સમયમાં દરેક નાની-મોટી પ્રક્રિયા માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે, પછી ભલે તે બેંકિંગ હોય કે સિમ કાર્ડ ખરીદવું. પરંતુ આ 12-અંકના યુનિક આઈડીનો કેટલાક લોકો દુરુપયોગ કરી શકે છે. આધારની મદદથી બેંક છેતરપિંડી જેવી ઘટનાઓ બની છે. તેથી, એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તમારો આધાર સુરક્ષિત છે અને તેનો દુરુપયોગ થઈ રહ્યો નથી.
UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ આધારને સુરક્ષિત રાખવા માટે કેટલાક ઓનલાઈન સાધનો અને સેવાઓ પ્રદાન કરી છે. ચાલો આધારના ઉપયોગ અને તેની સુરક્ષા પર નજર રાખવાના પગલાં જાણીએ.













