• ટાયર ખરાબ થાય તો શું કરવું
  • ટાયરમાં વારંવાર પંચર થતું હોય તો આ કામ કરવાથી થશે ફાયદો
  • આ કામ કરવાથી ટાયરનું આયુષ્ય વધી જશે

જો કારના ટાયર ઘસાઈ જાય અથવા વારંવાર પંચર થવા લાગે તો શું કરવું. આ સિવાય ટાયર બદલવાનું બજેટ પણ ન હોય તો શું? આવી પરિસ્થિતિમાં પોતાની કારના ટાયરની અંદર એન્ટી પંચર લિક્વિડ ભરી શકાય?

જ્યારે આપણા ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલરનું ટાયર જૂનું અથવા જર્જરિત થઈ જાય છે, ત્યારે તે પંચર થવાની શક્યતા વધી જાય છે. 20 હજાર કિલોમીટર દોડ્યા પછી ટુ-વ્હીલરના ટાયરમાં તકલીફ થવા લાગે છે. આ સાથે જ કેટલાક ટાયરની કિંમત 25 થી 30 હજાર રૂપિયા છે. વધુ પડતા ઘસાય જવા પછી પંચરની સમસ્યા શરૂ થાય છે. આવી સ્થિતિમાં, નવું ટાયર ખરીદતા પહેલા, તમારે જૂના ટાયરમાં એન્ટી પંચર લિક્વિડ અજમાવવું જોઈએ.

ટાયરમાં લિક્વિડ નાખવાની પ્રક્રિયા

વાહનના ટાયરને પંચર ન થાય તે માટે ટાયરમાં એન્ટી પંચર લિક્વિડ રેડવું પડે છે. તેને ટાયરની અંદર ઘણી રીતે એડ કરી શકાય છે. તમારે ફક્ત ટાયરમાં કેટલું લિક્વિડ ભરવું તેની કાળજી લેવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે સામાન્ય બાઈક છે તો તેના બંને ટાયરમાં એક લિટર લિક્વિડ પૂરતું હશે. આ લિક્વિડને ઈન્જેક્શનની મદદથી કાર, બાઈક કે સ્કૂટરના ટાયરમાં નાખી શકાય છે. લિક્વિડ ભરતા પહેલા ટાયરમાંથી બધી હવા કાઢી નાખો. ધ્યાનમાં રાખો કે લિક્વિડ ફક્ત ટ્યુબલેસ ટાયર પર જ કામ કરે છે.

એન્ટી પંચર લિક્વિડની કાર્ય પ્રક્રિયા

જ્યારે આ લિક્વિડ ટાયરમાં ભરવામાં આવે છે, ત્યારે તે ટાયરની અંદરના સમગ્ર વિસ્તારને આવરી લે છે. હવે જો ટાયરમાં પંચર થાય છે તો આ લિક્વિડ પંચર થયેલી જગ્યાએથી બહાર આવે છે અને સુકાઈ જાય છે. એટલે કે હવા બહાર નીકળી શકતી નથી. આ લિક્વિડ વેચતી ઘણી કંપનીઓ તેના 10 હજાર કિલોમીટર સુધી કામ કરવાની ગેરંટી પણ આપી રહી છે. વોરંટીનો આ સમયગાળો નવા ટાયર પર ઉપલબ્ધ છે. પરંતુ થોડા સમય પછી આ લિક્વિડ ટાયરની અંદર સુકાઈ જાય છે જેના કારણે ટાયર અંદરથી સખત થઈ જાય છે. તે ટાયરના ફાટેલા ભાગને અંદરથી રિપેર પણ કરે છે. આનાથી ટાયરનું જીવન એક વર્ષ અથવા 2 થી 3 હજાર કિલોમીટર વધે છે.

કિંમત માત્ર 200 રૂપિયાથી શરૂ

ઘણી કંપનીઓના આવા લિક્વિડ બજારમાં ઉપલબ્ધ છે. આ ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે. આ પ્રકારના લિક્વિડની કિંમત માત્ર 200 રૂપિયાથી શરૂ થાય છે. વિવિધ કંપનીઓના આધારે, આ લિક્વિડની કિંમત 1000 રૂપિયા સુધી છે. ટાયરને પંચરથી બચાવવા સિવાય આ લિક્વિડ તેને ઠંડુ રાખવાનું પણ કામ કરે છે. આ લિક્વિડમાં નાઈટ્રોજનનો ઉપયોગ થાય છે, જે ટાયરને ઠંડુ કરવાનું પણ કામ કરે છે. તે ઉનાળાની ઋતુમાં પણ ખૂબ અસરકારક છે.

  • Follow us on: