- રાજનેતા મોટાભાગ સફેદ કપડામાં જોવા મળે છે
- પોશાકના પ્રશ્નનો જવાબ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી મળે છે
- મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને નેતાઓ સફેદ કપડાં પહેરે છે
આજે દેશમાં અનેક રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે. દેશમાં હાજર તમામ રાજકીય પક્ષોના નામ, ચિહ્નો અને પક્ષનું બંધારણ અલગ-અલગ છે. પરંતુ શું તમે એક વાત પર ધ્યાન આપ્યું છે કે ભારતમાં મોટાભાગના નેતાઓ સફેદ કપડા જ પહેરે છે. એટલું જ નહીં દેશના રાજનેતાઓ આ સફેદ કપડામાં દરેક જગ્યાએ ફરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો આ પાછળનું કારણ? તો ચાલો જાણીએ કે રાજનેતાઓ સફેદ કપડા કેમ પહેરે છે
મહાત્મા ગાંધીથી પ્રેરિત
તમે જોયું હશે કે લોકો શોકના સમયે સફેદ કુર્તા-પાયજામા અથવા સફેદ રંગના કપડાં પહેરે છે. હવે સવાલ એ પણ ઉઠે છે કે રાજનેતાઓ વારંવાર સફેદ કુર્તા-પાયજામામાં કેમ જોવા મળે છે અને તેની પાછળનું કારણ શું છે. તદુપરાંત વર્તમાન અને ભૂતકાળના રાજનેતાઓ હંમેશા સફેદ કુર્તા સાથે સફેદ ધોતી પહેરવાનું પસંદ કરતા હતા. નેતાઓના સફેદ પોશાકના પ્રશ્નનો જવાબ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી મળે છે. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન જ્યારે મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપ્યો ત્યારે લોકોએ વિદેશી કપડા એકઠા કરીને તેને આગ લગાડી હતી.
સફેદ રંગ સાદગીનું પ્રતિક
આ પછી મહાત્મા ગાંધીએ ભારતીય લોકોને ચરખામાંથી બનાવેલા ખાદીના કપડાં પહેરવા માટે પ્રેરિત કર્યા. વાસ્તવમાં ગાંધીજી તેને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે જોતા હતા. તે સમયે ખાદીના કપડાં મોટાભાગે સફેદ રંગના હતા. ત્યારથી સ્વતંત્રતા સંગ્રામને ટેકો આપનારા તમામ નેતાઓએ પણ તેમને અપનાવવાનું શરૂ કર્યું. પછી ધીરે ધીરે આ રંગ નેતાઓનો રંગ બની ગયો. ત્યારથી રાજકારણ અને સમાજ સેવા સાથે જોડાયેલા લોકો સફેદ કપડામાં જોવા મળવા લાગ્યા. આ ઉપરાંત આ રંગ સાદગીનું પ્રતિક પણ છે.
સફેદ શાંતિનો રંગ
જીવનમાં દરેક રંગનું પોતાનું મહત્વ હોય છે. દરેક રંગ ચોક્કસ ગુણવત્તા સાથે સંબંધિત છે. તેવી જ રીતે સફેદ રંગને શાંતિ, પવિત્રતા અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે લોકો સફેદ વસ્ત્રો પહેરે છે. સફેદ રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં, વિવિધ ધર્મો અનુસાર અન્ય ઘણા પ્રસંગોએ સફેદ રંગ પહેરવામાં આવે છે.