Aadhaar Update: હાલ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર જીવનનો મુખ્ય ભાગ બની ગયા છે. માણસની ઓળખના પુરાવા તરીકે ભારતમાં આધાર પ્રચલિત છે. સરકારી કામથી લઈને જન્મ અને મરણના દાખલા સુધી તમામ સ્થળ પર આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. આધાર એ 12 આંકડાનો નંબર છે. આધાર કાર્ડ નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવે છે. આધાર કાર્ડનો નંબર વ્યક્તિ પ્રમાણે બદલતો રહે છે. એટલે કે દરેક વ્યક્તિનો આધાર નંબર અનન્ય હોય છે. આધાર કાર્ડના કારણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ પારદર્શી રીતે લાભાર્થીઓ સુધી પહોંચી શકે છે.
આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો અતિ આવશ્યક
આધાર કાર્ડ હવે ભારતીય નાગરિકોના જીવનનો ભાગ બની ગયું છે. મોબાઈલ નંબર મેળવવાથી લઈને ટેક્સ ફાઈલિંગ સુધી આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક્ડ કરાવવો અતિ આવશ્યક છે. આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે. આવામાં ઘણા લોકોને સવાલ થાય છે કે, જો આધાર કાર્ડ સાથે લિંક્ડ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય તો શું? આ લોકોને ઘણી સમસ્યા આવે છે.













