હિમાલયમાંથી મળી આવતા ઉંદરને હિમાલયન મરમોટ કહે છે. અથવા તે સોનું ખોદનાર ઉંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની લંબાઇ 50થી 70 સેમી છે. વજન 4થી 9 કિગ્રા છે. અને તેની 3500થી 5000 મીટરની ઉંચાઇ છે.
મરમોટની શું છે કહાની ?
હિમાલયન મરમોટ ઠંડા અને ઘાસવાળા સ્થળોએ રહેવાનું પસંદ કરે છે. ભારતમાં તે લદ્દાખ, લાહોલ-સ્પીતિ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમાં જોવા મળે છે. આ ખાસ ઉંદર માટે એક જૂની કથા પ્રખ્યાત છે. આ ઉંદર વિશે પ્રાચીનકાળમાં ઇતિહાસકાર હેરોડોટસ અને બાદમાં ફ્રાંસીસી શોધકર્તાઓએ જણાવ્યુ હતુ. આ મરમોટ વિશેષરૂપથી તિબેટ અને લદ્દાખ ક્ષેત્રમાં પોતાનું દર ખોદતી વખતે વધુ માત્રામાં માટી બહાર કાઢે છે. આ માટીમાંથી સોનાના કણ અવશ્ય મળે છે. તેથી આ મરમોટને 'સોનું ખોદનાર' ઉંદર તરીકે ઓળખવામાં આવે છે.
ગરુડ કરે છે મરમોટની રક્ષા
કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તિબેટીયન ઉચ્ચપ્રદેશ અને હિમાલયની ઊંચાઈ પરની જમીનમાં સોનાની ધૂળ જોવા મળે છે. જ્યારે મરમોટ ખાડા બનાવે છે ત્યારે તેઓ આ માટી ફેંકી દે છે. સ્થાનિક વિચરતી લોકો તે માટી ચાળતા હતા. લદ્દાખ અને તિબેટમાં તેમને શુભ પ્રાણી માનવામાં આવે છે. ત્યાં એવું પણ માનવામાં આવતું હતું કે ગરુડ મરમોટનું રક્ષણ કરે છે. જેથી માણસો વધુ સોનું ન લઈ જાય. ઘણી બૌદ્ધ વાર્તાઓમાં મરમોટને મહેનતુ અને સારા નસીબ લાવનાર પ્રાણી તરીકે વર્ણવવામાં આવ્યા છે.
શિકારીથી બચવા બનાવાય છે ઉંડા ખાડાઓ
હિમાલયના માર્ટો તેમના ખાડા જમીનથી લગભગ 3 થી 5 ફૂટ નીચે બનાવે છે. જેથી તેઓ શિયાળામાં ખૂબ ઠંડા ન રહે. આ ખાડા માત્ર ઊંડા જ નહીં, પણ ખૂબ લાંબા પણ છે. એક ખાડામાં ટનલની કુલ લંબાઈ 20 થી 30 ફૂટ કે તેથી વધુ હોઈ શકે છે. મરમોટનો ખાડો એક નાના એપાર્ટમેન્ટ જેવો હોય છે. જેમાં અલગ અલગ રૂમ હોય છે. આ કારણે, જો કોઈ શિકારી એક દરવાજા પર આવે છે. તો તે બીજા દરવાજામાંથી છટકી શકે છે.













