દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. દિલ્હી સિવાય એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. આ સમય દરમિયાન નોઈડા, ગાજિયાબાદ અને ગુરુગ્રામ સહિત ઘણા વિસ્તારોમાં ધરતી હલી હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી નુજબ, 10 જુલાઈએ સવારે 9:04 વાગ્યો ભૂકંપના આંચકા આવ્યા હતા, જેનું કેન્દ્ર હરિયાણાના ઈજ્જર જિલ્લમાં છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 મૈગ્નિટ્યૂડ માપવામાં આવી હતી.
દિલ્હીમાં ક્યારે આવ્યો હતો સૌથી મોટો ભૂકંપ?
મળતી માહિતી મુજબ, 27 ઓગસ્ટ, 1960ના દિવસે દિલ્હીમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. આ સમય દરમિયાન, દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને અન્ય ભૂકંપીય રોકોર્ડ મુજબ, આ ભૂકંપના તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 મૈગ્નિટ્યૂડ હતી. મહત્વની વાત એ છે કે આ ભૂકંપનું કેન્દ્ર દિલ્હીની આજુબાજુ જ હતું. આ ભૂકંપથી શહેરને ઘણું નુકસાન થયું હતું.
દિલ્હીની ભૂકંપ પછી પરિસ્થિતિ કેવી થઈ ગઈ હતી?
મીડિયા રિપોર્ટ મુજબ, 27 ઓગસ્ટ 1960ના દિવસે આ ભયાનક ભૂકંપથી દિલ્હીમાં ઘણી ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી. જુની દિલ્હી, ચાંદની ચોક અને લાલ કિલ્લો જેવા વિસ્તારોની ઈમારતોમાં ઘણું નુકસાન થયું હતું. ભૂકંપના કારણે કાટમાળ નીચે પડવાથી લોકોમાં ભાગ-દોડ થવા લાગી હતી અને તેમાં 100 લોકો ઘાયલ થયા હતા.
આ ભૂકંપો થયા હતા દિલ્હીમાં
- 1960માં ભૂકંપના દિલ્હીમાં ઘણી વાર તેના આંચકા અનુભવાયા હતા.
- 1720માં 6.5 મૈગ્નિટ્યૂડ જેટલો ભૂકંપ આવ્યો હતો, જેમાં દિલ્હીના આજુબાજુના વિસ્તારો ખરાબ રીતે તબાહ થઈ ગયા હતા.
- 1803માં ગઢવાલ-ઉતરાખંડના વિસ્તારમાં ભૂકંપના તેજ આંચકા આવ્યા હતા. દિલ્હી સુધી તે આંચકાઓ અનુભવાયા હતા. દિલ્હીમાં કુતુબ મિનાર અને ગુંબદ પણ ડેમેજ થયું હતું.
- 1905માં હિમાચલ પ્રદેશમાં કાંગડામાં 7.8 મૈગ્નિટ્યૂડ જેટલો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા દિલ્હી સહિત આખા ઉતર ભારતમાં અનુભવાયા હતા.