12 જૂન 2025ના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિમાન જગતમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમ કે બંને એન્જિન એક સાથે ફેલ થવા, જે ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે. વિમાનમાં ટેકનિકલ ખામીઓ અને સાયબર એટેકની શક્યતાએ પણ જોર પકડ્યું છે. સાયબર એટેકની ચર્ચાએ આ અકસ્માતને વધુ રહસ્યમય બનાવી દીધો છે.


વિમાન અકસ્માતમાં સાયબર એટેકના 2000 એગલ્સથી અલગ અલગ રીતે તેની તપાસ કરવામાં આવે છે. જેમ કે બંને એન્જિન એક સાથે ફેલ થવા, સાયબર એટેક, આતંકી હુમલો, પ્લેનમાં કોલ બેકનું કામ ના કરવું, કોઈ મોટી ખામી હોવી, પાયલોટનો અનુભવ, મેડે કોલ વગેરે. ત્યાં તપાસ કરવાનો એક પોઈન્ટ એ છે કે શું અચાનક જ કોઈ ટેકનિકલ ખામી આવી કે પછી બેદરકારીના કારણે એવી ઘટના બની. કારણ કે વિમાન અકસ્માતમાં આઠ દિવસ સુધી સતત એર ઈન્ડિયાની ફ્લાઈટ અલગ-અલગ કારણોથી કેન્સલ કરી દેવામાં આવી હતી.

શું સાયબર એટેકથી હેક થઈ શકે છે પ્લેન?

હવે સાયબર એટેકની વાત કરીએ તો એક સાયબર સિક્યોરિટી રિસર્ચર રૂબેન સાંકા માર્થાએ વર્ષ 2019માં DEF CON કોન્ફરન્સમાં પ્રેજેંટેશન સમયે કહ્યું હતું કે બોઈંગ 787ની આ ફલાઈટ એન્ટરટેમેન્ટ સિસ્ટમ અને અન્ય નેટવર્ક સિસ્ટમની નબળાઈના કરાણે થાય છે. તેમણે કહ્યું હતું કે આ સિસ્ટમ ને હેક કરવા વિમાનની લાઈટિંગ, સીટ કંટ્રોલને પ્રભાવિત કરવામાં આવે છે. પરંતુ તેમને એ દાવો કર્યો હતો કે સાયબર એટેકના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે. તેમની રિસર્ચમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટની મહત્વપુર્ણ સિસ્ટમ જેવી કે ફ્લાઈટ કંટ્રોલ કરવી તે મુશ્કેલીનું કામ છે કારણ કે, તે સિસ્ટમ એર ગૈય્ડ સુરક્ષિત હોય છે.

શું એરલાઈન સિસ્ટમ પર પહેલા થયા છે સાયબર એટેક?

સાયબર એટેક એરલાઈન સિસ્ટમ જેમ કે બુકિંગ કે વેબ ચેક-ઈન જેવું બધું પહેલા જ થઈ જતું હોય છે. પરંતુ વિમાન કંટ્રોલ સિસ્ટમ પર આજ સુધી સાયબર એટેક થયો નથી. 2022માં સ્પાઈસજેટ પર રૈનસમવેયર પર હુમલો થયો હતો તેનાથી ઉડાન પર તેને અસર થઈ હતી, જો કે આ હુમલો ગ્રાઉંન્ડ સિસ્ટમ સુધી જ સીમિત હતો. તે સિવાય 2024માં જાપાન એર-લાઈન પર પણ સાયબર એટેક થયો હતો જેનાથી ફ્લાઈટમાં મુશ્કેલી આવી હતી, પરંતુ તેનાથી વિમાન સંચાલન પર કોઈ અસર થઈ ના હોતી. જો કે રોજ ટેકનોલોજી અપડેટ થઈ રહી છે,એટલા માટે સાયબર એટેકની તપાસ કરવી ખૂબ જરૂરી છે


  • Follow us on: