ભારતમાં લગ્ન

એક સામાજિક નહીં, કાનૂની બંધન છે. જો કોઈ વ્યક્તિ એક પત્ની સાથે રહીને બીજા લગ્ન કરે છે તો તે ભારતીય કાયદા હેઠળ ગુનો માનવામાં આવે છે. આવા મામલામાં વ્યક્તિને જેલ થઈ શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે.

લોકો અલગ-અલગ કારણોના લીધે બીજા લગ્ન કરી લેતા હોય છે. જેમ કે પહેલા લગ્ન અસફળ થવા, પહેલા લગ્નમાં બાળક ના થવું તેમજ તે સિવાય આર્થિક અને સામાજિક કારણ પણ સામેલ છે. કાયદા મુજબ, હિંદુ ધર્મમાં બીજા લગ્ન કર્યા પહેલા પહેલી પત્નીથી છૂટાછેટા લેવા જરૂરી છે. શું તમને ખબર છે કે એક પત્ની હોવા છતાં તમે બીજા લગ્ન કરો છો તો તમને શું સજા થઈ શકે છે? જાણો

એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કેમ કરે છે?

બીજા લગ્ન કરવા પાછળ જરૂરી કારણ છે, જેમાં ઘરેલૂ હિંસા પણ સામેલ છે. પતિ તેની પત્નીની ત્રાસના કારણે હેરાન થઈને બીજા લગ્ન કરી દેતો હોય છે. તેનું એક કારણ એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ હોઈ શકે છે. ઘણા મામલામાં પતિ તેની પત્નીને કીધા વગર જ બીજા લગ્ન કરી લે છે અને પછી બે પત્નીઓ રાખે છે. આવા ઘણા મામલા સામે પણ આવી ચૂક્યા છે.

શું મળે છે સજા?

પહેલી પત્ની હોવા છતાં જો કોઈ વ્યક્તિ બીજા લગ્ન કરે છે તો ભારતીય ન્યાય સંહિતા ધારા 69 હેઠળ તે વ્યક્તિને 7 વર્ષની સજા થઈ શકે છે. તેની સાથે સાથે તેને દંડ પણ ભરવો પડે છે. તેમજ તેના બીજા લગ્નને કાનૂની રીતે યોગ્ય માનવામાં આવતાં નથી. સુપ્રીમ કોર્ટ મુજબ એક પત્ની હોય અને જો બીજી પત્ની રાખે તો તે એક ગુનો છે. સુપ્રીમ કોર્ટે બીજા લગ્ન કરવા પર તેને ગંભીર અપરાધ માનીને 6-6 મહિનાની સજા તેમજ 2 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. તેમજ કોર્ટે બીએનએસની ધારા 69 હેઠળ પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાને ગંભીર અપરાધ ગણાવ્યો છે.


  • Follow us on: