વૈજ્ઞાનિકો ઘણા સમયથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ તે એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધો થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ તેમના મિશન માટે અવકાશમાં ગયા છે.
અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક સવાલ એ છે કે જો કોઈ અવકાશયાત્રીની તબિયત અચાનક અવકાશમાં બગડે છે, તો ત્યાં તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. શું તેને ત્યાં દવા આપવામાં આવે છે, કે પછી તેને કોઈ રીતે ધરતી પર પાછા મોકલવામાં આવે છે?
શું અવકાશમાં દવાઓ છે?
અવકાશનું વાતાવરણ ધરતીથી બિલકુલ અલગ છે. જ્યારે પણ કોઈ અવકાશયાત્રી ત્યાં જાય છે, ત્યારે તેના હાડકાં અને સ્નાયુઓ નબળા પડી જાય છે. ત્યાંથી પાછા ફરતી વખતે ગંભીર બીમારી થવાનું જોખમ પણ રહે છે. પરંતુ જો કોઈ અવકાશમાં બીમાર પડે તો શું થાય છે? આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં એક મેડિકલ કીટ છે, જેમાં પ્રાથમિક સંભાળની બધી વસ્તુઓ ઉપલબ્ધ છે, જેમ કે ઉલટી, તાવ, દુખાવો, બ્લડ પ્રેશર અને સુગર ચેક કરવા માટેના મશીનો અને બીજી ઘણી દવાઓ. કોઈપણ નાના ઘાના કિસ્સામાં, તેને સાફ કરવા માટે એન્ટિબાયોટિક્સ પણ છે.
ક્રૂ મેમ્બરને મળે છે ટ્રેનિંગ
તે સિવાય ક્રૂ મેમ્બરને બેસિક ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમ કે સીપીઆર, જેનાથી જરૂરતના સમયે તેનાથી મદદ મળી શકે. તેમજ તેમની સાથે ટીમનો એક વ્યક્તિ એવો પણ હોય છે જે સ્પેસનો મેડિકલ ઓફિસર હોય છે. તેના પાસે બીજા લોકો સિવાય વધારે ટ્રેનિંગ હોય છે અને જો કોઈ મોટી ઈમજન્સી હોય તો તે આરામથી થઈ જાય. તેમજ તે સિવાય તેમને ધરતીથી મોનિટર કરવામાં આવે છે, અહીંયા ધરતી પર રહેલા ડોક્ટરો ટીમને ગાઈડ કરે છે.
શું ધરતી પર પાછા મોકલવામાં આવે?
સૌથી મોટી વાત એ છે કે સ્પેસમાં કોઈ પણ બીમાર પડે તેણે ધરતી પર પાછા મોકલવામાં આવતા નથી. સ્પેસમાં ફક્ત તે જ જઈ શકે જે મેડિકલ રીતે સ્વસ્થ હોય અને એકદમ ફિટ હોય. તો પણ જો સ્પેસમાં તેમની તબિયત બગડી જાય તો મેડિકલ ટીમ તરત જ તેમને જોઈ લે છે. પરંતુ જો તબિયત વધારે પડતી બગડી જાય તો કોન્ટિજેન્સી રિર્ટનનો પ્લાન કરવામાં આવે છે. સ્પેસ સ્ટેશનમાં હંમેશા એક લાઈફબોટ સ્પેસક્રાફટ ડોક લાગેલું હોય છે. ઈમરજેન્સીની સ્થિતિમાં અવકાશયાત્રીઓને પાછા મોકલવામાં આવે છે.