• વર્ષે 10 લાખ રૂપિયાનો મળશે દુર્ઘટના વીમો
  • હોસ્પિટલમાં એડમિટ થવા પર મળશે 60 હજાર રૂપિયા સારવાર માટે
  • મૃત્યુના કેસમાં 10 લાખ રૂપિયા અને બાળકોના અભ્યાસ માટે 1 લાખ મળશે

ભારતીય પોસ્ટ ઓફિસની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં વર્ષે 396 રૂપિયાની દુર્ઘટના પોલીસી જાહેર કરવામાં આવી છે. આ વીમા પોલીસીમાં દુર્ઘટના, મૃત્યુ, સ્થાયી વિકલાંગતા, આંશિક વિકલાંગતામાં કે પછી લકવા જેવી સ્થિતિમાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે.

વીમા પોલીસી કેવી રીતે કરે છે કામ

  • દુર્ઘટનાનો શિકાર થયા પછી હોસ્પિટલમાં દાખલ વીમાધારકને ઓપીડીના ખર્ચ માટે 60 હજાર રૂપિયા, ઓપીડીમાં સારવાર અને પાટાપીંડી માટે 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે.
  • હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં 60 હજાર રૂપિયાના વધારાના 10 દિવસ સુધી 1000 રૂપિયા રોજ અપાશે. વીમાધારકના પરિવાર અન્ય શહેરમાં રહે છે તો તેમના આવવા માટે વધારેમાં વધારે 25 હજાર રૂપિયા સુધીનો ટિકિટ ખર્ચ પણ આપવામાં આવશે.
  • જો કોઈ કારણસર વીમાધારકનું મોત થાય છે તો પોલીસીના આધારે 5000 રૂપિયા અંતિમ વિધિ માટે આપવાની પણ જોગવાઈ છે. તેની સાથે વીમા ધારકનું મોત થાય તો વીમા રાશિ 10 લાખ રૂપિયાના વધારે બાળકોના અભ્યાસ માટે 1 લાખ રૂપિયા અલગથી આપે છે.
  • યોજનાને લઈને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસમાં મેગા કેમ્પનું આયોજન કરાશે. આ સુવિધા કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન દ્વારા મળી શકે છે. સામાન્યથી વધારે સંખ્યામાં તમે નજીકના પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરીને વીમો કરાવી શકો છો.  

Disclaimer: આ આર્ટિકલ વાચકોની વધારે જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં. 

  • Follow us on: