- ચારધામ યાત્રાનું ટુર પેકેજ દિલ્હીથી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન મારફતે શરુ થશે
- દિલ્હીથી ઋષિકેશ બાદ જોશીમઠથી કેદારનાથ, બદ્રીનાથ લઈ જવામાં આવશે
- સંપૂર્ણ ટૂર પેકેજમાં 17 દિવસ અને 16 રાત્રિમાં AC હોટેલમાં રહેવાની સુવિધા
જો તમે ચાર ધામની યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. તેના દ્વારા તમે દેશના અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પેકેજ દિલ્હીથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન મારફતે શરૂ થશે. આમાં તમને દિલ્હીથી ઋષિકેશ જવાનો મોકો મળશે. આ પછી તમને જોશીમઠથી કેદારનાથ, બદ્રીનાથ જવાનો મોકો મળશે.
ટૂર પેકેજ દરમિયાન વિવિધ જંકશનો પરથી ટ્રેન પસાર થશે
આ ટૂર પેકજમાં તમે ઋષિકેશથી પાછા ફર્યા બાદ તમને વારાણસી, પુરી, રામેશ્વરમ, પુણે, નાસિક, દ્વારકા અને પછી ટ્રેન દ્વારા દિલ્હી જવાનો મોકો મળશે. આ પેકેજમાં તમને દિલ્હી સફદરજંગ, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગરમાં બોર્ડિંગ મળશે. જ્યારે ડી-બોર્ડિંગની સુવિધા રાજકોટ, વિરંગમ, પાલનપુર જંકશન, અજમેર અને રેવાડીમાં ઉપલબ્ધ રહેશે.
ટૂર પેકેજમાં 17 દિવસ અને 16 રાત્રિ
આ સંપૂર્ણ પેકેજ 17 દિવસ અને 16 રાતનું છે. આમાં, એસી હોટલમાં રહેવાની સાથે, તમને એસી 1 કૂપ, એસી 1 ટાયર, એસી 2 ટાયર અને એસી 3 ટાયરમાં મુસાફરી કરવાની તક મળી રહી છે. પેકેજમાં નાસ્તો, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે.
સમગ્ર પ્રવાસ દરમિયાન IRCTC ટૂર મેનેજર હાજર રહેશે
સમગ્ર પ્રવાસ દરમિયાન IRCTC ટૂર મેનેજર હાજર રહેશે. આ સિવાય તમને ટ્રેનમાં સુરક્ષા મળશે. આ પેકેજનો આનંદ માણવા માટે તમારે 83,970 થી 1.79 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તમે 28 જૂન, 2024 થી આ પેકેજનો આનંદ લઈ શકો છો.