દિવાળી માટેની તૈયારી ફક્ત ઘરની સફાઈ સુધી સીમિત નથી હોતી, પણ ઘરના દરેક ખૂણે ચમક હોવી જરૂરી બની જાય છે .તે દીવાલો હોય, ફર્નિચર હોય કે પછી પૂજામાં ઉપયોગ થતા ચાંદીના વાસણો અને ભગવાન ગણેશ-લક્ષ્મીના પવિત્ર સિક્કા. દર વર્ષે લોકો ચાંદી સાફ કરવા માટે મોંઘા પ્રોડક્ટ્સ કે પારંપરિક ઉપાયો અપનાવે છે, પણ ઘણીવાર વધારે મહેનત છતાં પણ ઈચ્છિત ચમક મળતી નથી. ખાસ કરીને જ્યારે વાત આવે ચાંદીની, તો સમય જતા તેના પર કાળાશ કે ધૂંધળાશ આવવી સામાન્ય વાત છે.
જો તમે આ વખતે દિવાળી પહેલા તમારા ચાંદીના સિક્કા અને વાસણોને એકદમ નવા જેવા ચમકાવા માંગો છો, તો ચિંતાની કોઈ જરૂર નથી. ચાલો જાણી લઈએ એવા સરળ અને અસરકારક ઘરગથ્થું ઉપાયો, જેને કારણે તમારી ચાંદી માત્ર થોડી મિનિટોમાં ચમકી ઉઠશે, તે પણ વધુ મહેનત કે ખર્ચા વગર.
દિવાળી સફાઈ માટેના ઉપાયો
1. બેકિંગ સોડા અને ટૂથપેસ્ટથી ચાંદી સાફ કરો
ચાંદીના પૂજાના વાસણો સાફ કરવાનું ઘણી વખત મુશ્કેલ કામ બની જાય છે, અને પછી પણ નવા જેવી ચમક નથી આવતી. જો તમારી સાથે પણ એવું બને છે, તો તેના માટે તમે બેકિંગ સોડાએ અને ટૂથપેસ્ટ એ નો સહારો લઈ શકો છો.
રીત-પહેલા એક પાત્રમાં પાણી સારી રીતે ગરમ કરો. તેમાં બેકિંગ સોડા અને મીઠું ઉમેરો. હવે ચાંદીના વાસણો તેમાં 15-20 મિનિટ સુધી મૂકી દો. પછી ટૂથપેસ્ટથી તેમને ઘસો. ઈચ્છા હોય તો ટૂથબ્રશનો ઉપયોગ કરો.
આ સરળ રીતથી તમારા ચાંદીના પૂજાના વાસણો ઝડપથી અને સારી રીતે ચમકી જશે.
2. વિભૂતિથી ચાંદીના સિક્કા ચમકાવો
ચાંદીના સિક્કા કે બીજું કોઈ ચાંદીની વસ્તુ સમય સાથે કાળી પડવી સામાન્ય વાત છે. જો તમે આ વખતે તમારા ચાંદીના સિક્કાઓને ચમકાવવા માંગો છો, તે માટેની એક વસ્તુ છે- વિભૂતિ.
રીત- એક વાટકીમાં વિભૂતિ લો. એક ટૂથબ્રશ લો.હવે સિક્કાના અડધા ભાગ પર વિભૂતિ લગાવો અને બ્રશથી ઘસો.પછી બીજા ભાગ પર પણ એ જ રીતે કરો.આ રીતે ન માત્ર સિક્કાનું કાળાપણું દૂર થશે, પણ તેમાં નવા જેવી ચમક પણ આવી જશે.
ટિપ્સ: હંમેશા નરમ બ્રશ અથવા કાપડનો ઉપયોગ કરો.
ક્યારેય ખૂબ કઠોર ઘસાઈ ન કરો, જેથી ચાંદીના પરતને નુકસાન ન થાય.