ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેશમાં ઓડીશાના પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા દુનિયામાં પણ ખૂબ લોકપ્રિય છે. તેના બાદ અમદાવાદની રથયાત્રામાં ભાગ લેવા દૂરદૂરથી ભક્તો આવે છે. રથયાત્રાના દિવસે ભક્તોને માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. આ માલપુઆ એક sweet છે.


જો તમે પણ રથયાત્રાની ઉજવણીમાં સામેલ થવા માગતા હોય તો ઘરે માલપુઆનો પ્રસાદ બનાવી શકો છો. આજે અમે તમને આ લેખમાં માલપુઆ બનાવવાની સરળ રીત જણાવીશું. 

માલપુઆ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ મેંદો,
  • અડધો કપ ક્રીમ
  • 1કપ ખાંડ
  • અડધી ચમચી એલચી પાવડર
  • 1/4 કપ સોજી
  • 2 કપ દૂધ
  • 1કપ પાણી


માલપુઆ બનાવવાની રીત

  • માલપુઆ બનાવવા સૌ પ્રથમ તમે એક વાસણમાં મેંદાનો લોટ અને સોજી લો. હવે બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં થોડું થોડું દૂધ ઉમેરો. આ મિશ્રણમાં દૂધ ઉમેરી તેની સ્મૂધી પેસ્ટ બનાવો. યાદ રાખો કે પેસ્ટ ખૂબ પાતળી ન હોવી જોઈએ. હવે તેમાં ક્રીમ ઉમેરો અને મિક્સ કરો. દૂધ ઉમેરેલ આ મિશ્રણને 15 મિનિટ માટે એરટાઈટ વાસણમાં ઢાંકી રાખો.
  • આ મિશ્રણને થોડી વાર રેસ્ટ કરવા દો જેથી કરીને તે એકરસ થઈ જાય. ત્યાં સુધી તમે માલપુઆ માટેની ચાસણી તૈયાર કરો. ચાસણી બનાવવા એક વાસણમાં 1 કપ ખાંડ અને 1 કપ પાણી નાખો. તે સાધારણ ઉકળે એટલે સ્વાદ વધારવા એલચી પાવડર અને કેસર નાંખો. માલપૂઆ માટે આપણે તાંતણા વગર ચાસણી બનાવીશું. એટલે કે ખાંડ ઓગળે અને પાણી થોડું ઉકળે એટલે ગેસ બંધ કરી દો.
  • ચાસણી તૈયાર થયા બાદ એક નોન-સ્ટીક અથવા કઢાઈમાં ઘી ગરમ કરો. સાધારણ ઘી ગરમ થયા બાદ તેમાં તૈયાર કરેલા કણકમાંથી નાના પુરી આકારના માલપુઆને ધીમા તાપ પર શેલો ફ્રાય કરો. જ્યારે માલપુઆને તમારે બંને બાજુથી ફ્રાય કરવા પડશે જેથી અંદરનો લોટ કાચો ના રહે. જ્યારે માલપુઆ બંને બાજુથી બ્રાઉન થઈ જાય, ત્યારે તેને તવામાંથી બહાર કાઢો. ધ્યાનમાં રાખો કે માલપુઆ હંમેશા ધીમા તાપે રાંધવા જોઈએ. માલપુઆને શેલો ફ્રાય કર્યા બાદ તેને ખાંડની ચાસણીમાં નાખો. ચાસણીમાં 10થી 15 મિનિટ રાખ્યા બાદ તેને બહાર કાઢી અન્ય વાનગી સાથે પીરસી શકો છો.

ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને નેપાળમાં માલપુઆની વાનગી ખૂબ પ્રખ્યાત છે. હવે દેશભરના લોકો માલપુઆને રબડી સાથે તેમજ વિવિધ રીતે વાનગી બનાવી સ્વાદનો આનંદ માણે છે. 

  • Follow us on: