ભારત એક એવો દેશ છે જ્યાં પરિવારમાં કોઈ બીમાર પડે છે, તો તમને એક જ ઘરમાં અથવા નજીકમાં ત્રણ કે ચાર લોકો સલાહ આપતા જોવા મળશે, આ દવા સારી છે, આ દવાએ મારા બાળકની બીમારી મટાડી દીધી.. લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના બીજાની સલાહના આધારે લઇ લે છે. તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપમાં ઘણા લોકોના મોત થયા છે. તેમાં ખતરનાક રસાયણો મળી આવ્યા હતા. તો ચાલો બાળકોને કફ સિરપ આપવાની યોગ્ય ઉંમર સમજાવીએ.
યોગ્ય ઉંમર શું છે?
કફ સિરપ ક્યારે આપવી જોઈએ અને ક્યારે ન આપવી જોઈએ, તે માતાપિતા માટે એક મુખ્ય પ્રશ્ન છે. નિષ્ણાતો કહે છે કે નાના બાળકોમાં દવાની અસરો અને આડઅસરો બંને વધુ ગંભીર હોઈ શકે છે, તેથી ડૉક્ટરની સલાહ વિના કફ સિરપ આપવી ખતરનાક બની શકે છે. યુએસ એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) અનુસાર બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની દવાઓ આપવી જોઈએ નહીં. કારણ કે તેની ઘણી આડઅસરો થઈ શકે છે. ભારત સરકારે તાજેતરમાં સલામતીના કારણોસર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ચોક્કસ કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
ગરમ પાણી પી શકો છો
નિષ્ણાંતો કહે છે કે મોટાભાગના શરદી અને ફ્લૂના કેસ જાતે જ ઠીક થઈ જાય છે. તમે તમારા શરીરને પૂરતો આરામ આપીને અને ગરમ પાણી પીને તેમની સારવાર કરી શકો છો. સીરપ લેવી હંમેશા જરૂરી નથી. ડોકટરો કહે છે કે બાળકોમાં મોટાભાગની ઉધરસ એલર્જીને કારણે થાય છે. ડોકટરો ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સીરપ જાતે ન આપવાની સલાહ આપે છે.
સીરપના વિકલ્પો શું છે?
જો તમારા બાળકને ઉધરસ હોય, તો વધારે પાણી પીવાનું કહો, નાસ અપાવો જો તેઓ એક વર્ષથી વધુ ઉંમરના હોય તો તેમને મધ આપવાથી મદદ મળી શકે છે. સીરપ અથવા દવાઓનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવો જોઈએ જ્યારે સ્થિતિ ગંભીર હોય,. તે પણ ખાસ ડૉક્ટરની સલાહ લીધા પછી જ ઉપયોગ કરવો. સરળ શબ્દોમાં કહીએ તો, ખાંસી અને શરદીવાળા નાના બાળકો માટે ઘરેલું ઉપચાર અને તબીબી દેખરેખ પર આધાર રાખવો એ સૌથી સલામત વિકલ્પ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અહેવાલ આપે છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉધરસ અને શરદીની દવાઓનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ કારણ કે આ દવાઓના ફાયદા મર્યાદિત છે અને નુકસાનનું જોખમ વધારે છે.