ભારતમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. વધારે વજનના કારણે લોકો સાંધાના દુખાવો સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. વધતી શારીરિક સમસ્યાના કારણે ડોક્ટર પણ લોકોને ફિટનેસનું ધ્યાન રાખવા સૂચન કર્યું છે. કોરોના સમયમાં લોકોને આરોગ્ય તંદુરસ્તી કેટલી જરૂરી છે તેનો ખ્યાલ આવ્યો. અને ત્યારબાદથી લોકો ફિટનેસ મામલે જાગૃત થયા છે. વજન ઘટાડવું આજે એક મોટો પડકાર બન્યો છે. ખાસ કરીને વર્કિંગ કરતા લોકો માટે કેવી રીતે વજન ઘટાડવું તે એક મોટી સમસ્યા બની છે.
મહિલાઓમાં મેદસ્વિતાનું વધુ પ્રમાણ
દેશમાં રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે મુજબ 24% સ્ત્રીઓ અને 23% પુરુષો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે. મોટાભાગે મહિલાઓ અને તેમાં પણ વર્કીંગ વુમનમાં મેદસ્વિતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. મહિલાઓએ વજન ઘટાડવા સાચા અભિગમ અને ધીરજ રાખવી જરૂરી છે. કારણ કે ફક્ત ક્રશ ડાયટ અથવા વધુ પડતી કસરત કરી વજન ઘટાડવાની સમસ્યાને દૂર કરી શકાતી નથી. એકસમયે વજન ઉતરી જાય છે પરંતુ ફરી પાછા જ્યારે તમે રુટિનમાં આવો છો ત્યારે ધીરેધીરે વજન વધવા લાગે છે. એટલે જરૂરી છે કે દિનચર્યામાં એવી વસ્તુઓ સામેલ કરો જેનાથી વજન ઘટાડવાની તમારી યાત્રા વધુ સરળ બને.













