આજ લોકો ખાવામાં સ્ટીલના વાસણો અને કાચના વાસણનો વધુ ઉપયોગ કરે છે. ખોરાક રાંધવામાં પહેલા એલ્યુમિનિયમના વાસણ અને લોંખડના વાસણા વપરાતા હતા. તેના સ્થાને સ્ટીલ, નોનસ્ટીકનો ઉપયોગ થવા લાગ્યો છે. લોખંડના તપેલામાં રસોઈ બનાવવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોખંડની કઢાઈ સાફ કરવા આજે તમને એક સરળ અને ગૃહિણીના બજેટમાં આવે તેવો ઘરેલુ ઉપાય જણાવીશું.
લોખંડની કઢાઈમાં લાગ્યા ડાઘ
લોખંડના તપેલામાં રાંધેલો ખોરાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સિવાય તળેલો ખોરાક બનાવવા વારંવાર લોખંડની કઢાઈનો ઉપયોગ થવાના કારણે તેમાં કાળાશ થાય છે. અને લોખંડની કઢાઈ સાફ કરવાની ઝંઝટને કારણે કયારેક લોકો તેનો ઉપયોગ ટાળવા લાગ્યા છે. તો તમે આ ઉપાયથી સરળતાથી લોખંડની કઢાઈ સ્વચ્છ કરી શકશો. કાળાશ થયેલ લોખંડની કઢાઈને સાફ કરવા ફક્ત એક ફટકડી જ કાફી છે. લોંખડની કઢાઈના જીદ્દી દાગ ફટકડીથી દૂર થશે.













