ઉનાળાની શરૂઆત થતાં જ વાતાવરણમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધી જાય છે. આ ઋતુમાં શરીરનું તાપમાન જળવી રાખવું અને પાચનતંત્રને સ્વસ્થ રાખવું એક પડકાર બની જાય છે. મોંઘા પીણાં કે કેમિકલયુક્ત ઠંડા પીણાં પીવાને બદલે આપણા ભારતીય રસોડામાં જ એવા મસાલા મોજૂદ છે, જે કુદરતી રીતે શરીરને ઠંડક આપે છે. પોષણશાસ્ત્રીઓના મતે, વરિયાળી, ધાણા અને જીરું જેવા મસાલા માત્ર સ્વાદ જ નથી વધારતા, પરંતુ ગરમી સામે લડવાની શક્તિ પણ આપે છે.


1. સૂકા ફુદીનાનો પાવડર: કુદરતી રિફ્રેશર

ફુદીનામાં રહેલું મેન્થોલ શરીરને ત્વરિત ઠંડક આપે છે. તેમાં વિટામિન A અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર હોય છે, જે પેટની બળતરા, ગેસ અને ઉલટીમાં રાહત આપે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: તેને છાશ, લીંબુ પાણી અથવા રાયતામાં ઉમેરીને પી શકાય છે.

2. સૂકા ધાણા (ધાણાના બીજ): હાઇડ્રેશનનો સ્ત્રોત

ધાણાના બીજની તાસીર ઠંડી હોય છે. તે શરીરમાં પાણીનું સ્તર જળવી રાખવામાં અને ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: ધાણાના બીજને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ગાળીને તે પાણી પીવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે.

3. જીરું: પાચન અને તાપમાનનું સંતુલન

જીરું આયર્ન અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે પાચનતંત્રને મજબૂત કરે છે અને શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: શેકેલા જીરાનો પાવડર દહીં અથવા છાશમાં નાખીને લેવાથી ગરમીમાં ખૂબ ફાયદો થાય છે. જીરું પાણી પણ એક ઉત્તમ હેલ્થ ડ્રિંક છે.

4. વરિયાળી: ઠંડકનો ખજાનો

વરિયાળી તેની શીતળતા માટે જાણીતી છે. તે માત્ર શ્વાસની દુર્ગંધ જ દૂર નથી કરતી પણ પાચનક્રિયા પણ સુધારે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: ભોજન પછી વરિયાળી ચાવવી અથવા તેનું શરબત બનાવીને પીવું જોઈએ. તે હર્બલ ટી તરીકે પણ ઉપયોગી છે.

5. એલચી: તાજગીનો અહેસાસ

એલચી શરીરને ડિટોક્સિફાય કરવામાં અને તાજગી આપવામાં મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ શરીરની ગરમીને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો: એલચીને દૂધ કે પાણીમાં ઉકાળીને લઈ શકાય છે, અથવા ઠંડા શરબતમાં સ્વાદ અને ઠંડક માટે ઉમેરી શકાય છે.

આ પણ વાંચોઃ IRCTC Goa Tour Package: બજેટમાં ગોવાની મોજ!IRCTC એ લોન્ચ કર્યું ખાસ ટૂર પેકેજ, જાણો બુકિંગની છેલ્લી તારીખ

  • Follow us on: