શિયાળાના આ દિવસોમાં, આપણા શરીરને એવા ખોરાકની જરૂર હોય છે જે ફક્ત સ્વસ્થ જ નહીં પણ અંદરથી હૂંફ અને શક્તિ પણ પ્રદાન કરે છે. તલની સુખડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મકરસંક્રાતિ તહેવાર પર તલની સુખડી ખાવાની પરંપરા છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે. આ મકરસંક્રાંતિ પર તમે પોચી અને ટેસ્ટી સુખડી બનાવવી હોય તો આ ટિપ્સ જરૂર ટ્રાય કરો. તમને સરળ તલની સુખડી બનાવવાની રીત જણાવીશું.


તલની સુખડી બનાવવા માટે સામગ્રી

  • 1 કપ - સફેદ તલ
  • 3/4 કપ - ગોળ ઝીણો સમારેલો
  • 1 થી 2 મોટી ચમચી - ઘી
  • ઇલાયચી પાવડર

તલની સુખડી બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈમાં તલ ધીમા તાપે 2-3 મિનિટ માટે શેકી લો. તલ ફૂલવા લાગે અને થોડો રંગ બદલાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ગોળનો પાયો તૈયાર કરો. આ માટે પહેલા કઢાઈમાં ઘી ગરમ કરો અને પછી ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો. ગોળને ધીમા તાપે સતત હલાવતા રહો. જ્યારે ગોળમાં પરપોટા થવા લાગે અને ગોળ એકદમ ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો. જો તમારે સુખડી એકદમ પોચી રાખવી હોય તો પાયાને વધુ સમય ન પકવવો. હવે ઓગળેલા ગોળમાં શેકેલા તલ નાખી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં ઇલાયચી પાઉડર નાખો. બધું બરાબર મિક્સ કરી લો. બીજી બાજુ એક થાળીને ઘીથી ગ્રીસ કરી લો. પછી તલની સુખડીના તૈયાર મિશ્રણને થાળીમાં કાઢી લો અને વાટકીની મદદથી એકસરખું ફેલાવી દો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ ચપ્પુની મદદથી મનપસંદ આકારના કાપા પાડી લો. 10-15 મિનિટ ઠંડુ થવા દો. ત્યારપછી તેના ટુકડા અલગ કરી લો. તૈયાર થઈ ગઈ તલની સુખડી. 


આ પણ વાંચો : Makar Sankranti 2026 : મકરસંક્રાતિની સ્પેશિયલ ડીશ, લીલા શાકભાજીના ઊંધિયા સાથે બનાવો આ વાનગી, મહેમાનો મોજથી ખાશે

  • Follow us on: