ભગવાન શિવની વિશેષ આરાધનાનું પર્વ એટલે શ્રાવણ મહિનો. આ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. શ્રાવણમાં શિવિલંગ પર જળાભિષક કરવાનું માહાત્મય છે સાથે ઉપવાસ કરવાનો પણ મહિમા છે. કહેવાય છે કે તમે ઉપવાસ કરી ભગવાન શિવના આર્શીવાદ મેળવી શકો છો. જો તમે પણ ઉપવાસ કરતા હોવ તો આજે તમારા ફરાળી ભોજનમાં એક નવી વાનગીની રેસીપી જણાવીશું. આજે તમે મોરૈયાની શાહી ખીચડી વાનગી જણાવીશું. જે શરીરમાં ઉપવાસના દિવસોમાં શરીરમાં જરૂરી પોષકતત્વો પૂરા પાડશે.
મોરૈયાની શાહી ખીચડી માટે સામગ્રી: આ સામગ્રીમાં તમે સ્વાદ મુજબ સિંધવ મીઠું અથવા કાચું મીઠું લઈ શકો છો. તેમજ ખીચડીને વધુ ટેસ્ટી બનાવવા જરૂર મુજબ ફરાળી ચવાણું તેમજ દાડમના દાણા લઈ શકો છો.













