દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ આ ડ્રોન તૈયાર કર્યુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 75માંથી 15 ડ્રોન હાઇ એન્ડ મોડેલ છે. જેને ટેક્નોલોજી અને પ્રશિક્ષણ શિક્ષા વિભાગે વિકસિત કર્યુ છે.

'સેવા પખવાડિયા' અભિયાન હેઠળ ઉજવણી

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા આ ડ્રોન દિલ્હી પોલીસને સોંપવામાં આવેશે. દરેક જિલ્લાને 5-5 ડ્રોન આપવામાં આવશે. આ ઉજવણીમાં મહત્ત્વની વાત એ છે કે મહિલા કોન્સ્ટેબલોને આ ડ્રોન ચલાવવા માટે તાલીમ આપવામાં આવી છે. જે પીએમ મોદીના જન્મદિવસ પર તેનું સંચાલન કરશે. દિલ્હી સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા પખવાડિયા' અભિયાન હેઠળ ઘણી નવી પહેલ શરૂ કરવામાં આવશે.

100 નવી બસોનું લોન્ચિંગ

'સેવા પખવાડિયા' અભિયાન હેઠળ અંગ પ્રત્યારોપણ અને જાગૃતિ પોર્ટલ, આંતરરાજ્ય બસ સેવા શરૂ કરવી, પરિવહન માર્ગોનું પુનર્ગઠન અને 100 નવી બસોનું લોન્ચિંગ શામેલ છે. કુલ 75 યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે. ગુજરાતના વડનગરની શેરીઓથી શરૂઆત કરનારા પીએમ મોદીએ બાળપણમાં તેમના પિતાને તેમની ચાની દુકાનમાં મદદ કરી હતી. એક સામાન્ય પરિવારમાંથી આવતા આ બાળકે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બંધારણીય નેતાઓમાંના એક બનશે.

રાજકીય સફર પર એક નજર

મોદીની રાજકીય સફર 1987માં શરૂ થઈ હતી. જ્યારે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન સચિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીંથી જ તેમણે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવી હતી. 1985ની વિધાનસભા ચૂંટણીમાં, જ્યાં ભાજપે ફક્ત 11 બેઠકો જીતી હતી. મોદીની સંગઠનાત્મક ક્ષમતા અને ચૂંટણી વ્યૂહરચનાને કારણે 1995 સુધીમાં પાર્ટી 121 બેઠકો પર પહોંચી હતી. આ પછી, તેમનું કદ વધતું રહ્યું. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તેમણે 13 વર્ષ સુધી આ પદ સંભાળતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. તેમના નેતૃત્વ હેઠળ, ગુજરાતમાં વિકાસ અને ઔદ્યોગિકીકરણની નવી નીતિઓ લાગુ કરવામાં આવી. મોદીએ પોતાને એક મજબૂત પ્રશાસક અને જાહેર નેતા તરીકે સ્થાપિત કર્યા છે. 

  • Follow us on: