• આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • પાકિસ્તાન હજુ પણ સેમિફાઇનલ રેસમાં યથાવત
  • બાબર અને ઇરફાન પઠાણ અંગે ફેક ન્યૂઝ

પાકિસ્તાનને વર્તમાન વર્લ્ડકપમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. પ્રારંભિક વિજય બાદ ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બાબર આઝમની કેપ્ટનશિપ હેઠળની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. આગલા દિવસે કિવી ટીમની જીતથી પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણને લઈને એક વિચિત્ર ઘટના સામે આવી છે. જો પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવું હશે તો ઈંગ્લેન્ડ સામેની આજની મેચમાં મોટા માર્જિનથી જીતવું પડશે.

ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર આવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ઇરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ વતી એક ઇન્ટરવ્યુ માટે બાબર આઝમનો સંપર્ક કર્યો હતો. પરંતુ બાબરે આવું કહીને ઈન્ટરવ્યુ આપવાનો ઈન્કાર કર્યો હતો અને તેણે કહ્યું કે, પોતાના દેશ પાકિસ્તાન વિરુદ્ધ બોલનારાઓ સાથે વાત નથી કરતો. આ દાવો પાકિસ્તાની પત્રકાર નસીમ રાજપૂતે એક ન્યૂઝ ચેનલ પર હસન રઝા એપિસોડમાં કર્યો છે.

ઈરફાન પઠાણ ઘણીવાર પાકિસ્તાનન પર ટોણા મારે છે

તે જાણીતું છે કે ઈરફાન પઠાણ ઘણીવાર પાકિસ્તાની ટીમને ટોણા મારતો રહે છે. જેના કારણે પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ દ્વારા તેમના વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા. જો કે, સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ફેન્સે આ સમાચારને સાચા માનીને તેને ફેલાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને પાકિસ્તાનના વર્તમાન કેપ્ટન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આ પહેલા પાકિસ્તાનના કેટલાક પૂર્વ ખેલાડીઓએ પણ પિચ અને બોલને લઈને સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાનની હાર પછી કોઈને કોઈ બહાનું ચોક્કસ મળી ગયું હતું.


  • Follow us on: