- ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં 21 જાન્યુઆરીએ બીજી ODI
- વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન
- બોલરોનો મદદગાર પીચ પર સિરાજ-શમીનો ચાલશે જાદુ!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વીર નારાયણ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. જોકે, આ પીચ પર 6 IPL મેચ રમાઈ છે.
પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં 12 રને શાનદાર જીત મેળવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ રાયપુરમાં 21 જાન્યુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ વખત રાયપુરમાં રમશે. આંતરરાષ્ટ્રીય મેચ માટે વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં તૈયારીઓ તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. આ મેદાન પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરશે, જોકે અગાઉ અહીં IPLની 6 મેચ રમાઈ ચૂકી છે.

રાયપુરમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું રાયપુરમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રોહિત શર્મા અને કંપની છત્તીસગઢી સ્ટાઈલમાં ઢોલ નગાડે સાથે હોટલમાં પ્રવેશ્યા. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે પોતાની બેવડી સદીથી ઘણા રેકોર્ડ તોડ્યા અને ભારતીય ચાહકોના દિલમાં પણ જગ્યા બનાવી લીધી. પરંતુ હવે જોવાનું રહેશે કે રાયપુરમાં યુવા બેટ્સમેનો કેવું પ્રદર્શન કરે છે. જો કે આ પીચ પર ભારતીય બોલરોનો જાદુ કામ કરી શકે છે.
પિચ બોલરોના પક્ષમાં
વીર નારાયણ સ્ટેડિયમમાં IPLની 6 મેચ રમાઈ હતી. જેમાં સર્વોચ્ચ સ્કોર 164 રહ્યો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અહીંની પિચ બેટ્સમેનોના પક્ષમાં નથી. સરેરાશની વાત કરીએ તો સ્કોર 149.6 રહ્યો છે. આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજ જેવા બોલરોનો જાદુ આ પીચ પર ફરી એકવાર જોવા મળી શકે છે. સિરાજે છેલ્લી બે ODIમાં ચાર વિકેટ ઝડપી છે.

ન્યુઝીલેન્ડ માટે 'કરો યા મરો'ની સ્થિતિ
પ્રથમ મેચ હાર્યા બાદ પ્રવાસી ટીમ માટે બીજી મેચ 'કરો યા મરો' હશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા શ્રેણી પણ પોતાના નામે કરવા ઈચ્છશે. સાથે જ કિવી ટીમ પણ ટક્કર આપવામાં કોઈ કસર છોડશે નહીં. પ્રથમ ODIમાં ન્યુઝીલેન્ડે એક તબક્કે મેચ પલટી નાખી હતી. હવે જોવાનું એ રહેશે કે 21 જાન્યુઆરીએ બંને ટીમો કેવું પ્રદર્શન કરે છે.