- Leicestershire cricket club થી રહાણેએ લીધું પોતાનું નામ પરત
- ટેસ્ટ સીરીઝ બાદ રહાણે કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ જવાના હતા
- ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ક્રિકેટમાંથી બ્રેક લેવાની ઈચ્છા કરી જાહેર
ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ હાલમાં ભારતીય ટીમમાં વાપસી કરી હતી અને ઓસ્ટ્રેલિયાની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ ગયેલી ટેસ્ટ સીરીઝમાં પણ ભારતીય ટીમ રમી હતી. આ સીરીઝમાં કોઈ મોટો રેકોર્ડ બનાવવામાં તે સફળ રહ્યા નથી. તેઓએ આ ટૂરથી પરત આવ્યા બાદ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.
અજિંક્ય રહાણેએ લીધો ચોંકાવનારો નિર્ણય
અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફી અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ફરીથી ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. હાલમાં ખતમ થયેલી ટેસ્ટ સીરીઝ બાદ અજિંક્ય રહાણેને કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ જવાનું હતું. પરંતુ તેઓએ ક્રિકેટ ક્લબ લિસેસ્ટરશાયરથી પોતાનું નામ પરત લીધું છે. રહાણેએ લિસેસ્ટરશાયરની સાથે કરાર કર્યો હતો. આ માટે તેઓએ તેમને મેટ્રો બેંક વનડે કપ પણ રમવાનું હતું. આ કપ આવતા મહિને રમાવવા જઈ રહ્યો છે.
રહાણેએ ક્રિકેટથી બનાવી દૂરી
અજિંક્ય રહાણે ક્રિકેટથી કેટલાક સમય માટે બ્રેક લેવા જઈ રહ્યા છે. લિસેસ્ટરશાયર ક્લબના એક નિવેદનમાં કહેવાયું છે કે રહાણેએ જૂનમાં અહીં પહોંચવાનું હતું પરંતુ તેઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટની પ્રતિબદ્ધતાના કારણે પોતાનું નામ પરત લીધું છે. તેઓએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ક્રિકેટથી બ્રેક લેવાની ઈચ્છા જાહેર કરી છે. એવામાં રહાણેની જગ્યા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન પીટર હેન્ડસકોમ્બ ટીમ લેશે.
જાન્યુઆરીમાં કર્યો હતો ટીમની સાથે કરાર
રહાણેએ જાન્યુઆરીમાં લિસેસ્ટરશાયરની સાથે કરાર કર્યો હતો અને આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યા બાદ તેમને જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે ટીમ માટે 8 ફર્સ્ટ ક્લાસ મેચના સિવાય રોયલ લંડન કપ રમવાનો હતો જો કે ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીના કારણે તે આ કાઉન્ટી ટીમથી જોડાઈ શક્યા નથી. રહાણેએ ધોનીની કેપ્ટનશીપની ટીમ સીએસકેની સાથે સારું પ્રદર્શન દેખાડ્યું અને ટીમને 5મી વાર આઈપીએલ ટ્રોફી અપાવી હતી.