• અમિત મિશ્રાએ વિરાટ કોહલીને લઈને આપ્યું નિવેદન
  • કોહલી સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી: અમિત મિશ્રા
  • અમિત મિશ્રાએ કોહલીની કપ્તાનીમાં 9 ટેસ્ટ મેચ રમી છે

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ મજબૂત છે. કોહલી તેના સાથી ખેલાડીઓમાં પણ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. IPLમાં તે ઈશાંત શર્મા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે એક એવો ક્રિકેટર છે. જે કહે છે કે વિરાટ કોહલી સમયની સાથે બદલાયો છે.

કોહલી સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી

ટીમ ઈન્ડિયા માટે 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 રમનાર અમિત મિશ્રાએ એક ઈન્ટરવ્યૂમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી. મિશ્રા આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કોહલી સાથે તેના સંબંધો એટલા બગડ્યા કે તેણે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. મિશ્રાએ કહ્યું- જ્યારે કોહલી કેપ્ટન બન્યો ત્યારે આ સફળતાએ તેના વર્તનમાં મોટો ફરક પાડ્યો હતો. અમિતે વિરાટ કોહલીની કપ્તાનીમાં 9 ટેસ્ટ મેચ રમી છે.

"તે મારો આદર કરે છે, પણ પહેલા જેવો નથી."

તેણે કહ્યું- જ્યારે તમને ખ્યાતિ અને સત્તા મળે છે, ત્યારે લોકો વિચારે છે કે અન્ય લોકો તેમના પોતાના હેતુ માટે તેમને મળવા માંગે છે, પરંતુ મેં ક્યારેય એવું કર્યું નથી. હું ચીકુ (વિરાટ)ને 14 વર્ષનો હતો ત્યારથી ઓળખું છું. તેને રોજ પિઝા અને સમોસા ખાવાની આદત હતી, પરંતુ હું જે ચીકુને ઓળખતો હતો અને કેપ્ટન બન્યા બાદ તે જેવો છે તે વિરાટ કોહલીમાં ઘણો તફાવત છે. અમિત મિશ્રાએ કહ્યું- "જો કે તે હજુ પણ મને મળે છે. તે મને ખૂબ માન આપે છે, પરંતુ હવે તે પહેલા જેવું નથી." અમિત મિશ્રાનું માનવું છે કે વિરાટના આ સ્વભાવને કારણે તેના મિત્રો ઓછા છે. નોંધનીય છે કે યુવરાજ સિંહે વિરાટ કોહલી વિશે પણ કહ્યું હતું કે પહેલા બંને મિત્રો હતા, પરંતુ હવે આ સંબંધ રહ્યો નથી.

રોહિત સાથે ખૂબ સારા સંબંધ

અમિત મિશ્રાએ પણ રોહિત શર્મા સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ભલે હું ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયામાં નથી, પરંતુ જ્યારે પણ હું આઈપીએલ અથવા અન્ય ઈવેન્ટ્સ દરમિયાન રોહિત સાથે વાત કરું છું ત્યારે તે હંમેશા મારી સાથે મજાક કરે છે. મિશ્રાને પૂછવામાં આવ્યું કે શું તેમને સચિન તેંડુલકર કે એમએસ ધોની માટે સમાન આદર છે. આના પર મિશ્રાએ કહ્યું- “હું ખોટું નહીં બોલીશ. એક ક્રિકેટર તરીકે હું તેનું ઘણું સન્માન કરું છું, પરંતુ હવે સંબંધો પહેલા જેવા નથી રહ્યા. મિશ્રાએ કહ્યું કે રોહિત અને વિરાટનો સ્વભાવ અલગ છે. જે દિવસે હું રોહિતને પહેલીવાર મળ્યો હતો, તે આજની જેમ જ છે.”

  • Follow us on: