યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ સિલેક્ટર્સે કુલ 15 ખેલાડીઓની પસંદગી કરી છે. શુભમન ગિલ T20 ટીમમાં પાછો ફર્યો છે અને તેને વાઈસકેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
જસપ્રીત બુમરાહ પણ ટીમનો ભાગ છે. પરંતુ સિલેક્ટર્સે કેટલાક ખેલાડીઓ સાથે અન્યાય પણ કર્યો છે. સતત પ્રદર્શન છતાં, ત્રણ ખેલાડીઓ સિલેક્ટર્સનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ત્રણ ખેલાડીઓ કોણ છે.
શ્રેયસ ઐયર
ઘરેલુ ક્રિકેટ અને IPLમાં ઘણા રન બનાવવા છતાં શ્રેયસ ઐયરને એશિયા કપ 2025 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઐયરની પસંદગી બધાને લગભગ નિશ્ચિત જણાતી હતી. પરંતુ સિલેક્ટર્સ 15 સભ્યોની ટીમમાં શ્રેયસ ઐયરનો સમાવેશ ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા. IPL 2025માં શ્રેયસ ઐયરે તેની બેટિંગ અને કેપ્ટનશીપથી ધૂમ મચાવી હતી. તેને 17 મેચમાં 175 ના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા.
યશસ્વી જયસ્વાલ
એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે. યશસ્વી ઈંગ્લેન્ડમાં ઘણા રન બનાવ્યા પછી હમણાં જ પરત ફર્યો છે. આ સાથે T20 ક્રિકેટમાં તેનું તાજેતરનું ફોર્મ પણ શાનદાર રહ્યું છે. પરંતુ સિલેક્ટર્સે આ બધી બાબતોને અવગણી છે અને તેને મુખ્ય ટીમમાં સ્થાન આપ્યું નથી.
વોશિંગ્ટન સુંદર
વોશિંગ્ટન સુંદર પણ સિલેક્ટર્સનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. યશસ્વીની જેમ સુંદરને પણ સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે. સુંદર યુએઈની ધરતી પર ખૂબ અસરકારક સાબિત થઈ શક્યો હોત. આ સાથે તે સારી બેટિંગ અને મોટા શોટ મારવા માટે પણ જાણીતો છે.
એશિયા કપ માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.