એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જેના કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં 10 સપ્ટેમ્બરે UAE સાથે પોતાની પહેલી મેચ રમશે.


આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાશે. જોકે, આ મેચને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે કેટલાક ભારતીય ફેન્સ અને એક્સ ક્રિકેટરો નથી ઇચ્છતા કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે રમે. આ મેચની ટિકિટોનું વેચાણ હજુ શરૂ થયું નથી, પરંતુ ટિકિટોનું કાળાબજાર શરૂ થઈ ગયું છે.

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 15 લાખ રૂપિયામાં ઉપલબ્ધ!

રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ કાળા બજારમાં લગભગ 15 લાખમાં ઉપલબ્ધ છે. આ અંગે, અમીરાત ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેટિંગ સિસ્ટમ સુભાન અહેમદે ફેન્સને આવી કોઈપણ વેબસાઇટનો શિકાર ન બનવા અપીલ કરી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે સોશિયલ મીડિયા પર આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. ફેન્સને સલાહ આપવામાં આવી છે કે જ્યારે ભારત-પાક મેચની ટિકિટનું વેચાણ શરૂ થાય ત્યારે ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદો. રિપોર્ટ મુજબ, આ મેચની ટિકિટનું વેચાણ 2 દિવસમાં શરૂ થઈ શકે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 3 વાર ટક્કર થઈ શકે છે

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે. પહેલી વાર બંને ટીમો 14 સપ્ટેમ્બરે ટકરાશે, ત્યારબાદ 21 સપ્ટેમ્બરે બંને ટીમો વચ્ચે મેચ થશે. તે સિવાય જો બંને ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો બંને ટીમો 28 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.


પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય ફેન્સ ગુસ્સે

પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતમાં પાકિસ્તાન સામે ઘણો ગુસ્સો હતો. ત્યારબાદ લોકોએ અપીલ કરી હતી કે ભારતે કોઈપણ રમતમાં પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. જેની અસર વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં જોવા મળી, જ્યાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે મેચ રમવાની ના પાડી દીધી હતી.


  • Follow us on: