બર્મિંગહામ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ 11 ની જ્યારે કેપ્ટન શુભમન ગિલે જાહેરાત કરી, ત્યારે બધાએ મોટા સવાલો ઉભા કર્યા. જસપ્રીત બુમરાહની ગેરહાજરીને કારણે બોલિંગ યુનિટને નબળું કહેવામાં આવી રહ્યું હતું.


પરંતુ મેચના છેલ્લા દિવસ સુધીમાં વિચાર બદલાઈ ગયો છે. મેચમાં જસપ્રીત બુમરાહનું સ્થાન લેનારા આકાશદીપે બોલ સાથે ધૂમ મચાવી દીધી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી નર્વસ થઈ રહ્યો છે! આ ખેલાડીને પ્લેઈંગ 11 માંથી બહાર કરી શકાય છે.

આકાશદીપે બર્મિંગહામમાં મચાવી ધૂમ

લાંબા સમય પછી પ્લેઈંગ 11 માં આવેલા આકાશદીપે પહેલી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. આકાશદીપે ત્રીજી ઓવરમાં જ બેન ડકેટ અને ઓલી પોપને પેવેલિયન મોકલ્યો. આ સિવાય તેને સદી બનાવનાર હેરી બ્રુકને પણ પેવેલિયન મોકલ્યો. આકાશે ઓલરાઉન્ડર ક્રિસ વોક્સને પણ પેવેલિયન મોકલ્યો હતો.


આકાશદીપે પહેલી ઈનિંગમાં 5 વિકેટ ન લીધી હોય છતાં તેને પ્રભુત્વ મેળવ્યું હતું. બીજી ઈનિંગમાં અત્યાર સુધી આકાશદીપે 4 વિકેટ લીધી છે. આકાશદીપે ઈંગ્લિશ ટીમના ટોપ ઓર્ડરને હરાવી દીધો છે. જેના કારણે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં પણ તેનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે.

પ્રસિદ્ધ કૃષ્ણાના રમવા પર મોટું સંકટ!

આકાશદીપ જે રીતે બોલિંગ કરી રહ્યો છે, તેમાં તેનું બોલિંગ નિશ્ચિત છે. જ્યારે મોહમ્મદ સિરાજે પણ આ મેચમાં અત્યાર સુધી 7 વિકેટ લીધી છે. આ પરિસ્થિતિમાં તે લોર્ડ્સમાં પણ રમે તેવી શક્યતા છે. ત્રીજા બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ નિરાશ કર્યા છે.

આવામાં પ્લેઈંગ 11માંથી તેનું બાકાત રહેવું લગભગ નિશ્ચિત છે. આ ટેસ્ટ મેચમાં આરામ કરી રહેલા બુમરાહ લોર્ડ્સ ટેસ્ટમાં રમતા જોવા મળશે. તે પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યા લઈ શકે છે. ત્રીજી ટેસ્ટ મેચમાં સિરાજ-આકાશ અને બુમરાહની ત્રિપુટી અંગ્રેજી ટીમને હેરાન કરી શકે છે.


  • Follow us on: