ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ 6 રને જીતીને ઈતિહાસ રચ્યો છે અને સિરીઝ 2-2 થી બરાબર કરી દીધી છે. પાંચમી ટેસ્ટના પાંચમા દિવસે ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી. સિરાજે પાંચમા દિવસે 3 વિકેટ લીધી અને જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.


ગુસ એટકિન્સનની લીધી છેલ્લી વિકેટ

મોહમ્મદ સિરાજે ગુસ એટકિન્સનના રૂપમાં ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ લીધી. આ પછી તે તરત જ જમીન પર દોડવા લાગ્યો. પછી તેને કૂદકો માર્યો અને આકાશ તરફ જોયું અને તેના બંને હાથ ફેલાવ્યા. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પણ તેની સાથે સેલિબ્રેશન કરે છે. પછી બાકીના ભારતીય ખેલાડીઓ પણ સેલિબ્રેશન કરે છે. યશસ્વી જયસ્વાલ હવામાં મુક્કા મારતો જોવા મળે છે.

મને મારી જાત પર વિશ્વાસ હતો: મોહમ્મદ સિરાજ

ટીમ ઈન્ડિયા માટે મેચ જીત્યા બાદ મોહમ્મદ સિરાજે કહ્યું કે હું સવારે ઉઠ્યો અને મારા ફોન પર ગુગલ ચેક કર્યું. આ પછી મેં બિલીવ ઈમોજી વોલપેપર સેટ કર્યું અને મારી જાતને કહ્યું કે હું દેશ માટે આ કરીશ. મારી પાસે ફક્ત એક જ પ્લાન હતો કે મારે બોલને યોગ્ય જગ્યાએ ફેંકવો પડશે. મને વિકેટ મળે કે રન ગુમાવે તેનાથી કોઈ ફરક પડતો નથી.


રવિવારે ચોથા દિવસે 19 રનના સ્કોર પર સદી ફટકારનાર હેરી બ્રુકનો કેચ છોડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે જ્યારે મેં બોલ પકડ્યો ત્યારે મને લાગતું ન હતું કે હું બાઉન્ડ્રીને સ્પર્શ કરીશ. આ મેચ બદલનારી ક્ષણ હતી. હેરી બ્રુક T20 સ્ટાઈલમાં બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ મને હંમેશા મારી જાત પર વિશ્વાસ હતો કે હું ટીમને જીતી અપાવીશ.


વર્તમાન ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 23 વિકેટ લીધી. તે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. સિનિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સિરીઝમાં ફક્ત 3 મેચ રમી હતી. તેથી જ મોહમ્મદ સિરાજે 185.1 ઓવર ફેંકી.


  • Follow us on: