ઓલ્ડ ટ્રેફોર્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પગમાં ઈજા થઈ હતી અને તેના કારણે તે હાલમાં ક્રિકેટથી દૂર છે. તે DPL 2025નો ભાગ બનવાનો હતો પરંતુ ઈજાને કારણે તેને આરામ કરવો પડશે.


રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાની ઈજાને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે અને પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે તેને પગમાં ઈજા થવાનું બિલકુલ પસંદ નથી.

રિષભ પંત કેમ ગુસ્સે થયો?

રિષભ પંતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેનો ફ્રેક્ચર થયેલો પગ જોવા મળે છે. કેપ્શનમાં રિષભ પંતે લખ્યું છે કે 'મને આ ખૂબ જ નફરત છે.' રિષભ પંતની સ્ટોરી જોઈને સ્પષ્ટ થાય છે કે તે પોતાની ઈજાથી ચિડાઈ ગયો છે અને તેથી જ તેને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.


રિષભ પંત ક્યારે પરત ફરશે?

જ્યારે માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તેને વિકેટકીપિંગ કર્યું ન હતું અને ફક્ત બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. પાછળથી રિષભ પંતની ઈજા વિશે સમાચાર આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તે 6 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહી શકે છે.

ચોથી ટેસ્ટ મેચ સમાપ્ત થયાને લગભગ 3 અઠવાડિયા વીતી ગયા છે. આ પરિસ્થિતિમાં રિષભ પંત આગામી ત્રણ અઠવાડિયામાં સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફરી શકે છે. જો તેનું ફ્રેક્ચર નહીં ઠીક નહીં થાય, તો ફેન્સને રાહ વધુ જોવી પડી શકે છે.

ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં રિષભ પંતનું પ્રદર્શન કેવું રહ્યું?

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની સિરીઝમાં રિષભ પંત વાઈસ-કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. રિષભ પંતે સિરીઝમાં 4 મેચ રમી અને 68.42 ની એવરેજથી 479 રન બનાવ્યા. રિષભ પંતે કુલ 3 અડધી સદી અને 2 સદી ફટકારી. આ દરમિયાન LSG કેપ્ટનનો હાઈએસ્ટ સ્કોર 134 રન હતો. જો રિષભ પંત ફિટ હોત અને છેલ્લી મેચ રમી હોત, તો તે સિરીઝમાં સરળતાથી 500 રનનો આંકડો પાર કરી શક્યો હોત. રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે આગામી મેચ ક્યારે રમે છે તે હજુ નક્કી નથી.


  • Follow us on: