ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ હવે નજીક આવી ગયો છે. ભારતીય ટીમે પહેલી મેચ મોટા અંતરથી જીતી હતી. બીજી મેચની વાત કરીએ તો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટીમ 3થી 4 દિવસમાં જીતી જશે.
પરંતુ હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે શુભમન ગિલ એવા ખેલાડીને તક આપશે જે પાછલી મેચમાં રમ્યા ન હતો.
દેવદત્ત પડિકલને પહેલી ટેસ્ટમાં તક મળી ન હતી
શુભમન ગિલ જ્યારથી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે, ત્યારથી તે પોતાના મનપસંદ ખેલાડીઓને પુષ્કળ તકો આપી રહ્યો છે, પરંતુ કેટલાક ખેલાડીઓ ટીમમાં હોવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકતા નથી. જ્યારે BCCIએ વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી ત્યારે તેમાં દેવદત્ત પડિકલનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દેવદત્ત પડિકલ પહેલી મેચમાં રમતો જોવા મળશે, પરંતુ કેપ્ટન શુભમન ગિલે તેને તક મળી ન હતી. દેવદત્તે અત્યાર સુધી ફક્ત 2 ટેસ્ટ રમી છે અને હવે તે ત્રીજી મેચની રાહ જોઈ રહ્યો છે.
દેવદત્ત પડિકલે અત્યાર સુધીમાં રમી છે 2 ટેસ્ટ
દેવદત્ત પડિકલે 2024માં ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને નવેમ્બર 2024માં પોતાની બીજી મેચ રમી હતી. આ દરમિયાન તેને 2 ટેસ્ટની 3 ઈનિંગમાં 90 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલની એવરેજ 30 છે અને તેને 45.68ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.
દેવદત્ત પડિકલ ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે દાવેદાર છે, પરંતુ કેપ્ટન શુભમન ગિલે પહેલા કરુણ નાયરને અહીં તક આપી. જ્યારે તેમનું બેટ સારું પ્રદર્શન ન કરી શક્યું અને કરુણ નાયરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે સાઈ સુદર્શન રમવાનું શરૂ કર્યું. ઘણી તકો હોવા છતાં, સાઈ સુદર્શન પોતાને સાબિત કરી શક્યા નથી.
હજુ સુધી કોઈ છાપ છોડી શક્યો નથી સાઈ સુદર્શન
સાઈ સુદર્શન અત્યાર સુધી ચાર ટેસ્ટ મેચોમાં 7 ઈનિંગમાં ફક્ત 147 રન બનાવી શક્યો છે. તેના નામે એક અડધી સદી છે. સાઈની એવરેજ 21 છે અને તે 40.83 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની છેલ્લી મેચમાં જ્યારે 3 ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી હતી, ત્યારે પણ સાઈ સુદર્શન માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ગિલ દેવદત્ત પડિકલને દિલ્હી ટેસ્ટમાં તક આપશે કે પછી તે બેન્ચ પર બેસી રહેશે.