ટી-20 વર્લ્ડ કપની સૌથી પ્રતિષ્ઠિત અને નિર્ણાયક ગણાતી ભારત-પાકિસ્તાન મેચ પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. કરોડો ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે રવિવારના મુકાબલામાં મેઘરાજા વિઘ્ન બની શકે છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મેચને લઈને મોટી આગાહી કરી છે.
ચાલુ મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રવિવારે રમાનારી આ મેચ દરમિયાન વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, કોલંબોમાં રવિવારે વાતાવરણ ભારે વાદળછાયું રહેશે અને ચાલુ મેચ દરમિયાન વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે અથવા મેચ ખોરવાઈ શકે તેવી પણ ભીતિ છે. જોકે, મેચ રમાશે કે નહીં તે અંગે કહીં શકાય નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.













