IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તેમની ટીમમાં સામેલ કર્યો છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આ વાતની પુષ્ટિ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે આગામી મીની ઓક્શન પહેલા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં શાર્દુલ ઠાકુરને ખરીદવા માટે 2 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
શાર્દુલ ઠાકુર LSGમાં હતો
આ પહેલા શાર્દુલ ઠાકુર લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતો હતો. પરંતુ હવે તે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. શાર્દુલ ઠાકુર મુંબઈનો વતની છે અને ટીમ માટે પોતાની સ્થાનિક ટુર્નામેન્ટ રમે છે. તેથી એમઆઈમાં જોડાયા પછી શાર્દુલની ખુશી સ્પષ્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયોમાં આ સમાચાર શેર કર્યા. વીડિયોમાં શાર્દુલ કહેતો જોવા મળે છે, "શાર્દુલ ઠાકુર આલા રે!" તે મુંબઈ ઈન્ડિયન્સનો ટી-શર્ટ પહેરેલો અને બોલ ઉછાળતો જોવા મળે છે.
શાર્દુલ ઠાકુર પહેલી વાર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. આ પહેલા તે LSG, CSK, KKR, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. ગયા સિઝનમાં LSG તરફથી રમતી વખતે તેને 10 મેચમાં 13 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પરંતુ તેને બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી.
જો આપણે તેના IPL કરિયર પર નજર કરીએ તો શાર્દુલ ઠાકુરે અત્યાર સુધીમાં 105 મેચોમાં 107 વિકેટ લીધી છે, જ્યારે તેને બેટિંગમાં 325 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાથી દૂર છે શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુર હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર છે. તે છેલ્લે જુલાઈ 2025 માં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે ભારત માટે રમ્યો હતો. ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ ગુમાવી અને તે સાઉથ આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝનો પણ ભાગ નથી. તે હાલમાં 2025 રણજી ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
રણજી ટ્રોફીમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન
2025-26 રણજી ટ્રોફીમાં શાર્દુલ ઠાકુરે મુંબઈ માટે સારું પ્રદર્શન કર્યું નથી. તેને અત્યાર સુધી રમેલી 4 મેચમાં 5 વિકેટ લીધી છે. વધુમાં તે બેટથી પણ પ્રભાવશાળી રહ્યો નથી.