ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2026 જીત્યો. સંજુ સેમસનનો ભારતને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા હતી. તેને છેલ્લી ત્રણ મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમને જીત અપાવી. આનાથી સંજુને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ મળ્યો.


સંજુ શરૂઆતમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તેને ઝિમ્બાબ્વે સામેની મેચમાં તક મળી અને ત્યારથી તેને ક્યારેય પાછળ વળીને જોયું નથી. હવે હેડ કોચ ગૌતમ ગંભીરે સંજુના અચાનક ટીમમાં સમાવેશનું કારણ સમજાવ્યું છે.

ગૌતમ ગંભીરે સંજુને તક આપવાનું જણાવ્યું કારણ

ગૌતમ ગંભીરે તાજેતરમાં જિયોસ્ટાર શોમાં વર્લ્ડકપ દરમિયાન ઓપનિંગ કોમ્બિનેશન બદલવા વિશે વાત કરી હતી. ગૌતમ ગંભીરે સમજાવ્યું કે તે પાવરપ્લેમાં આક્રમકતા લાવવા માગતો હતો, અને તેથી જ તેને સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો.

ગૌતમ ગંભીરે કહ્યું કે "ઘણા લોકો કહેશે કે અમે સંજુ સેમસનનો સમાવેશ ટોપના ત્રણમાં લેફ્ટ બેટ્સમેનોની હાજરીને કારણે કર્યો હતો, પરંતુ તે કારણ ન હતું. છેલ્લા દોઢ વર્ષમાં અમે હંમેશા ઝડપી ગતિએ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓફ-સ્પિન બોલિંગનો સામનો કરવા માટે સંજુને લાવવામાં આવ્યો ન હતો."

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે "એક સારો બેટ્સમેન દરેક પ્રકારના બોલ રમી શકે છે. અમે પહેલી 6 ઓવરમાં વધુ આક્રમક રીતે રમવા માગતા હતા. અમને ખબર છે કે સંજુ સેમસન શું કરી શકે છે. કોઈને તેની ક્ષમતા પર શંકા ન હતી. જો તે સારું રમે છે, તો તે પહેલી 6 ઓવરમાં મેચનો માર્ગ બદલી શકે છે."

સંજુને પ્લેઈંગ 11માં પરત ફરવાના સમાચાર ક્યારે મળ્યા?

ગૌતમ ગંભીરે વાતચીત દરમિયાન એ પણ ખુલાસો કર્યો કે તેને જીમ સેશન દરમિયાન ઝિમ્બાબ્વે સામે સંજુ સેમસનની તકના સમાચાર શેર કર્યા હતા. તેને કહ્યું કે "મેં તેને જીમમાં આ વિશે કહ્યું. અમે સાથે ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને મેં તેને કહ્યું કે તે ઝિમ્બાબ્વે સામે રમશે. તેને કહ્યું કે 'હું તૈયાર છું.' અમે આ રીતે વાતચીત કરીએ છીએ. આ હેડ કોચ-ખેલાડીનો સંબંધ નથી. આ એક એવો સંબંધ છે જ્યાં મોટાભાગની વાતચીત પ્રેક્ટિસ દરમિયાન થાય છે."

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: