T20 વર્લ્ડ કપ 2026ના સૌથી પ્રતિષ્ઠિત મુકાબલા અગાઉ ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે, ત્યારે તમામની નજર ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતના પૂર્વ સ્પિનર ડરભજન સિંડે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના નવા 'મિસ્ટ્રી સ્પિનર' ઉસ્માન તારિકથી સાવધ રહેવાની ગંભીર સલાહ આપી છે.
હરભજન સિંહની ખાસ સલાહ: 'દબાણ વગર રમો'
રાંચીમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન 'ટર્બનેટર' તરીકે જાણીતા હરભજન સિંડે ભારતીય બેટ્સમેનોને સતર્ક કર્યા છે. તેમણે જણાવ્યું કે, "ભારત નિશ્ચિતપણે પાકિસ્તાન સામેની મેચ જીતશે, પરંતુ આપણે પાકિસ્તાનના નવા સ્પિનર ઉસ્માન તારિક સામે ખૂબ જ સાવધાનીપૂર્વક રમવાની જરૂર છે. તે એક સારો બોલર છે અને તેની એક્શન અલગ છે." હરભજને વધુમાં આશા વ્યક્ત કરી હતી કે ટીમ ઈન્ડિયા હંમેશની જેમ કોઈપણ વધારાના દબાણ વિના મેદાનમાં ઉતરશે અને વિજય મેળવશે
કોણ છે ઉસ્માન તારિક? શા માટે છે વિવાદ?
પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક ડાલમાં ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેની બોલિંગ એક્શનને લઈને અનેક સવાલો ઉભા થયા છે.તારિક બોલ ફેંકતી વખતે રિલીઝ પોઈન્ટ પર થોડી સેકન્ડ માટે અટકી જાય છે , જેના કારણે બેટ્સમેનનો લય તૂટી જાય છે.અત્યાર સુધી રમાયેલી માત્ર 4 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 11 વિકેટ ઝડપી છે.તેની આક્રમક વિકેટ લેવાની ક્ષમતા તેને રવિવારની મેચમાં પાકિસ્તાન માટે 'એક્સ-ફેક્ટર' બનાવે છે.ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સહિતના દિગ્ગજોએ તેની એક્શનને 'ચર્કિંગ' ગણાવી વિવાદાસ્પદ ગણાવી છે, છતાં તે હાલમાં પાકિસ્તાનનો મુખ્ય હથિયાર છે.
ભારત અને પાકિસ્તાન બંને ટીમો અજેય રહી
ભારતે પ્રથમ મેચમાં યુએસએને 29 રનથી પરાજય આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં નામિબિયા સામે 93 રનના તોતિંગ માર્જિનથી જીત મેળવી હતી.ત્યારે પાકિસ્તાને પણ સારી શરૂઆત કરી છે. તેમણે નેધરલેન્ડ્સને ૩ વિકેટથી હરાવ્યા બાદ યુએસએ સામે 32 રનથી વિજય મેળવ્યો હતો.આ મેચનું આયોજન પણ વિવાદોથી મુક્ત રહ્યું નથી. શરૂઆતમાં પાકિસ્તાન સરકારે શ્રીલંકામાં રમવા બાબતે આનાકાની કરી હતી, પરંતુ ICCના હસ્તક્ષેપ અને સમજાવટ બાદ પાકિસ્તાને યુ-ટર્ન લીધો હતો અને મેચ માટે સહમતી દર્શાવી હતી. હવે રવિવારે કોલંબોમાં માત્ર બે ટીમો વચ્ચેનો જંગ જ નહીં, પરંતુ સ્પિન વિરુદ્ધ બેટિંગનો રોમાંચક મુકાબલો જોવા મળશે. જો ભારતીય બેટ્સમેનો હરભજન સિંડની સલાડ માનીને ઉસ્માન તારિકના સ્પિન જાળને ઉકેલી લેશે, તો ભારતનો વિજય રથ આગળ વધવો નિશ્ચિંત છે.
આ પણ વાંચો - IRE vs OMAN : ક્રિઝ બહાર હતો બેટ્સમેન, સ્ટમ્પિંગ બાદ પણ નોટ-આઉટ અપાયો, જાણો કારણ