• BCCI પસંદગીકારો ઈચ્છે છે કે, રોહિત અને વિરાટ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમે

  • રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ લાંબા સમય બાદ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે
  • ઈન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે

શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ટીમ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એક મહિનાના વિરામ પર જઈ રહી છે. તે દરમિયાન દુલીપ ટ્રોફી ભારતમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે . હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ લાંબા સમય બાદ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે.

વાસ્તવમાં, બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ શ્રેણી પહેલા, BCCI પસંદગીકારો ઈચ્છે છે કે રોહિત અને વિરાટ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમે. જેના કારણે ટેસ્ટ શ્રેણી માટેની તેમની તૈયારી વધુ મજબૂત બનશે. તમને જણાવી દઈએ કે, દુલીપ ટ્રોફી 2024 5 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

આ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવને દુલીપ ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટૂર્નામેન્ટ નહીં રમે કારણ કે તેને લાંબો આરામ આપવામાં આવ્યો છે. પસંદગીકારો બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચો માટે તેના સમાવેશ અંગે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે કારણ કે ભારતને આગામી ચાર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચ સહિત 10 ટેસ્ટ મેચની તૈયારીનો સામનો કરવો પડશે. બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરની પેનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટૂંક સમયમાં ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D આ ચાર ટીમોની પસંદગી કરશે.


મોહમ્મદ શમીની વાપસી થઈ શકે છે

લાંબા સમયથી ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર રહેલો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ વાપસી કરવા માટે તૈયાર છે. શમીએ પોતે દુલીપ ટ્રોફી રમવા અંગે નિવેદન આપ્યું હતું. શમીએ કહ્યું હતું કે તે દુલીપ ટ્રોફીમાં બંગાળ માટે ચોક્કસપણે એક કે બે મેચ રમશે. દુલીપ ટ્રોફીમાં 6 મેચ રમાશે. જે 5 થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. દરમિયાન, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

  • Follow us on: