IPL 2025 માટે ખેલાડીઓની રિટેંશનને લઈને માહોલ ગરમ છે. કારણ કે હવે તેનું લિસ્ટ જાહેર થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટના એક વીડિયોમાં દાવો કર્યો છે કે વિરાટ કોહલીએ આગામી સિઝનમાં ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી હલચલ વધી ગઈ છે. આરસીબીના ફેન્સની ખુશી આસમાને પહોંચી ગઈ છે. હાલમાં આ માત્ર દાવો છે, તેનું સત્ય બહાર આવતા સમય લાગશે. પરંતુ આ પહેલા RCB ફેન્સ માટે એ જાણવું જરૂરી છે કે જો આમ થશે તો ટીમને ફાયદો થશે કે નુકસાન? તમને જણાવી દઈએ કે તેની કેપ્ટનશિપના રેકોર્ડ શું દર્શાવે છે.

IPLમાં કોહલીનો કેપ્ટનશિપનો રેકોર્ડ

વિરાટ કોહલીએ 2011થી IPLમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તેને આ લીગમાં ઘણા રન બનાવ્યા છે, જેના કારણે તેની ગણતરી સૌથી સફળ બેટ્સમેનોમાં થાય છે. પરંતુ જ્યારે કેપ્ટનશિપની વાત આવે છે તો તે પાછળ રહી જાય છે. તેને 2013માં કેપ્ટનશિપની જવાબદારી મળી અને 9 સીઝન સુધી કેપ્ટન રહ્યા બાદ તેને 2021માં આ પદ છોડી દીધું.

આ સમયગાળા દરમિયાન, વિરાટ કોહલીએ 143 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું અને તે આ લીગમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ત્રીજા કેપ્ટન પણ છે. જ્યારે વિરાટ કેપ્ટન હતો, ત્યારે RCBએ 143માંથી 66 મેચ જીતી હતી, જ્યારે 70માં હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમની જીતની ટકાવારી માત્ર 46.15 ટકા હતી. તેની ટીમ પણ 9 સીઝન દરમિયાન કંઈ ખાસ કરી શકી નથી. આરસીબીએ 4 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું, એક વખત ફાઈનલ રમી પરંતુ તેમાં પણ હારનો સામનો કરવો પડ્યો. એટલે કે તેના નામે એક પણ ટ્રોફી નથી.

ટોપ-5 કેપ્ટનો સાથે વિરાટ કોહલીની સરખામણી

જો આપણે IPLમાં સૌથી વધુ કેપ્ટનશિપ કરનાર ટોપ-5 કેપ્ટનો સાથે વિરાટ કોહલીની સરખામણી કરીએ તો તે ઘણો પાછળ જોવા મળે છે. IPLમાં સૌથી વધુ કેપ્ટન્સી કરવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેને કુલ 226 મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરી છે. આમાં તેને 133 મેચ જીતી છે, જ્યારે 99માં તેને હારનો સામનો કરવો પડ્યો છે અને તેની જીતની ટકાવારી 58.84 છે, જે અન્ય કેપ્ટન કરતા વધારે છે. આ સિવાય તેણે પોતાની ટીમને 5 વખત ટ્રોફી પણ જીતાડવી છે.

ધોની પછી રોહિત શર્માનો વારો આવે છે. 158 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે તેને 87 મેચ જીતી છે અને 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની જીતની ટકાવારી 55.06 છે અને તેને આ ટ્રોફી પણ 5 વખત જીતી છે. જ્યારે ગૌતમ ગંભીરે 129 મેચમાં સુકાની તરીકે 71 મેચ જીતી છે અને 57માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની જીતની ટકાવારી 55.03 હતી અને ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલ વિજેતા પણ બનાવ્યું હતું. આ સિવાય ડેવિડ વોર્નરે 83 આઈપીએલ મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને 40માં જીત અને 41માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 48.19ની જીતની ટકાવારી સાથે સનરાઈઝર્સ હૈદરાબાદને એકવાર ચેમ્પિયન બનાવ્યું.


  • Follow us on: