- હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં અંગે મોટો ખુલાસો થયો
- ગિલને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ
- ટીમ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા પર થઈ રહી છે
શ્રીલંકા પ્રવાસ પર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં અંગે મોટો ખુલાસો થયો છે. ગૌતમ ગંભીરના હેડ કોચ બનતાની સાથે જ ટીમમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે શુભમન ગિલને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા પર થઈ રહી છે, જેને કેપ્ટન ન બનાવવો એ ચોંકાવનારો નિર્ણય હતો.
T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં તેણે બેટિંગમાં 144 રન અને બોલિંગમાં 11 વિકેટ પણ લીધી હતી. જો હાર્દિકે કંઈ ખોટું ન કર્યું હોય તો એવું કયું કારણ હતું જેના કારણે તેને ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી ગુમાવવી પડી?













