• BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી
  • હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની T20 સિરીઝનો ભાગ છે
  • પંડ્યાએ ODIમાં અંગત કારણોસર ખસી જવાનો નિર્ણય લીધો

હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનને લઈને પરેશાન છે. પંડ્યા શ્રીલંકા સામેની T20 સિરીઝનો ભાગ છે. પરંતુ પંડ્યાએ ODIમાં અંગત કારણોસર ખસી જવાનો નિર્ણય લીધો છે. આ કારણોસર તેની પાસેથી કેપ્ટન્સી પણ છીનવાઈ ગઈ હતી. હવે પંડ્યાની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. જો તે સારુ પ્રદર્શન કરી શકશે નહીં તો તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ જશે.

હાર્દિકે પોતાની જાતને સાબિત કરવી પડશે

વાસ્તવમાં પંડ્યાની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા હતા. આ કારણોસર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર, BCCI વિજય હજારે ટ્રોફી દરમિયાન પંડ્યાની બોલિંગ પર ખાસ ધ્યાન આપશે. તેની ફિટનેસ પર નજર રાખવામાં આવશે. આ પછી જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે નિર્ણય લેવામાં આવશે. પંડ્યા આપમેળે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં. તેણે પોતાની જાતને સાબિત કરવી પડશે.

હાર્દિકે કેપ્ટનશિપ ગુમાવી

BCCIએ હાલમાં જ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા સિનિયર હોવા છતાં કેપ્ટન બની શક્યો નથી. અજિત અગરકર, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં કેપ્ટનશીપ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પંડ્યાએ ODI સિરીઝમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો ત્યારે તેણે કેપ્ટનશિપ પણ ગુમાવી દીધી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

હાર્દિક અને નતાશાના છૂટાછેડા

હાર્દિક પંડ્યાના છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે. તે અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે. આ મુદ્દે હાર્દિક ખૂબ જ ચિંતિત છે. IPL 2024 દરમિયાન પણ તે ખૂબ જ પરેશાન દેખાતો હતો. તેણે T20 વર્લ્ડકપ 2024 બાદ પોતાની સ્થિતિ વ્યક્ત કરી હતી.

  • Follow us on: