• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI અને T20 સિરીઝ રમાશે
  • સૂર્યકુમાર યાદવને T20 સિરીઝ માટે કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો
  • હાર્દિક કરતા સૂર્યકુમારનો ટીમના ડ્રેસિંગ રૂમ પર વધુ પ્રભાવ છે

ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓ મેદાનમાં પરત ફરી રહ્યા છે. આ પ્રવાસ માટે ટીમની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને T20 સિરીઝ માટે કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડકપ 2024 તે વાઇસ કેપ્ટન હતો અને તેનું પ્રદર્શન પણ અદ્ભુત હતું. હવે હાર્દિકના કેપ્ટન ન બનવાનું મોટું કારણ સામે આવ્યું છે.

મુખ્ય પસંદગીકાર ખુશ ન હતા

વાસ્તવમાં T20 વર્લ્ડકપ 2024 પછી ચાહકોને આશા હતી કે શ્રીલંકા પ્રવાસ પર હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે IPLમાં ગુજરાત ટાઇટન્સ છોડ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે પંડ્યાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું, ત્યાર બાદ પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા હતા.

જે બાદ હવે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને નવા હેડ કોચ ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના પક્ષમાં નથી. જ્યારે તેઓ સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે ઇચ્છતા હતા. જો અહેવાલોનું માનીએ તો, હાર્દિક પંડ્યા કરતાં સૂર્યકુમાર યાદવનો ટીમના ડ્રેસિંગ રૂમ પર વધુ પ્રભાવ છે.

અગરકર અને ગંભીર પંડ્યાની કેપ્ટનશિપથી સંતુષ્ટ નથી

રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંતુ જે રીતે હાર્દિકની IPL 2024 ગઈ, પંડ્યાની કેપ્ટનશિપ પર ઘણા સવાલો ઉભા થવા લાગ્યા. એવા અહેવાલો પણ બહાર આવ્યા હતા કે જ્યારે હાર્દિક કેપ્ટન હતો ત્યારે ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ એટલું સારું નહોતું. તે જ સમયે, હાર્દિકે અંગત કારણોસર શ્રીલંકા સાથેની વનડે સિરીઝમાંથી આરામની પણ માંગ કરી હતી. હવે આ બધી બાબતો અંગે, કોચ ગૌતમ ગંભીર અને અજીત અગકર હાર્દિક પંડ્યાના કેપ્ટન બનવાથી સંતુષ્ટ ન હતા.

  • Follow us on: