• ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનના હાથમાં છે
  • ભારત તરફથી પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો
  • ભારતની મેચો પાકિસ્તાનની બહાર યોજાશે તો PCBને વધુ પૈસા મળશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનના હાથમાં છે. પરંતુ આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. જોકે, ભારત તરફથી પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે તે માટે PCB તમામ પ્રયાસ કરી રહ્યું છે. ICCએ આ અંગે શ્રીલંકામાં બેઠક યોજી હતી.

PCBને થશે મોટો ફાયદો

તાજેતરમાં જ ICCએ શ્રીલંકામાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક બોલાવી હતી. આ બેઠકમાં BCCIના સચિવ અને PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ પણ હાજરી આપી હતી. અહેવાલો અનુસાર, આ મીટિંગ પછી પણ એ જાણી શકાયું નથી કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં. હવે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતીય ટીમની મેચ પાકિસ્તાનની બહાર યોજાશે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેના માટે વધારાના પૈસા મળશે.

PCBએ ડ્રાફટ શેડ્યૂલ જાહેર કર્યું

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે PCB દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર, ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચ લાહોરમાં રમવાની છે. પરંતુ હવે આ શેડ્યૂલ બદલાઈ શકે છે, કારણ કે જો ICC પણ ભારતને પાકિસ્તાન આવવા માટે મનાવવામાં નિષ્ફળ જાય છે તો ટીમ ઈન્ડિયાની મેચનું સ્થળ ફરી એકવાર બદલાઈ શકે છે.


  • Follow us on: