• વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે રમાશે
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા શુભમન ગિલ પર ICCએ આપી ખૂશ ખબર
  • શુભમન ગિલને ICC દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો અપાયો હતો એવોર્ડ 

વર્લ્ડ કપની શાનદાર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ પહેલા શુભમન ગિલની ફિટનેસને લઈને અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન ICCએ આ સ્ટાર ઓપનર વિશે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા આ સારા સમાચાર આ ખેલાડીનું મનોબળ વધુ વધારશે. અગાઉ કેન્સર સામે લડીને 2011માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર યુવરાજ સિંહે પણ શુભમન ગિલનું મનોબળ વધાર્યું હતું. ICC દ્વારા દર મહિને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવે છે. ICC દ્વારા સપ્ટેમ્બર મહિના માટે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ICCએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. શુભમનની સાથે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલાનને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ આખા મહિનામાં 80ની એવરેજથી 480 ODI રન બનાવનાર શુભમને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી.

આટલું જ નહીં ICC ODI રેન્કિંગમાં શુબમન ગિલ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પછી બીજા સ્થાને છે. 24 વર્ષીય બેટ્સમેનનો ODI ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે 35 મેચમાં 66.1ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી 1917 રન બનાવ્યા છે. આ એવોર્ડ જીત્યા બાદ તેણે કહ્યું હતું કે આ એવોર્ડ તેને આગળ વધુ સારું કરવા માટે પ્રેરિત કરશે. આ માટે તેણે પોતાના સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.

શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હોવાને કારણે વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. અમદાવાદમાં શુભમન ગિલનું શાનદાર ફોર્મ અને રેકોર્ડ છે. આ બધું જોઈને પાકિસ્તાન સામેની મોટી મેચમાં શુભમન ગિલની વાપસીની અટકળો થઈ રહી છે. ઉપરાંત, ગુરુવારે નેટ્સમાં તેના બેટિંગમાં પાછા ફરવાના સમાચારે આ અપેક્ષાઓ વધારી દીધી છે.

  • Follow us on: