• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર 8 મેચ ચાલુ
  • રોહિતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
  • કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ભારતીય ટીમ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર 8 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તો ચાલો જાણીએ કેમ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા છે.

આ કારણે ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું બેંગલુરુમાં નિધન થયું હતું. બેંગલુરુમાં ચોથા માળેથી પડી જવાથી તેનું મોત થયું હતું. જેના કારણે તમામ ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. ડેવિડ જોન્સન લાંબા સમયથી બીમાર હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, તે ડિપ્રેશનનો શિકાર હતા. જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. જોન્સને કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચ અને 33 લિસ્ટ A મેચ રમી છે.

કુલદીપ યાદવને તક મળી

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે એક ફેરફાર કર્યો છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય અફઘાનિસ્તાને પણ ટીમમાં એક ફેરફાર કર્યો છે. કરીમ જનાતના સ્થાને હઝરતુલ્લાહ ઝાઝાઈને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  • Follow us on: