• 3-1થી લીડમાં છે ભારત
  • અર્શદીપને મળી શકે છે ટીમમાં સ્થાન
  • 4-1થી સીરીઝ જીતવા માંગશે ભારત

ટીમ ઈન્ડિયાએ રાયપુરમાં રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રનના માર્જીનથી હરાવ્યું અને ત્યાં જ સીરીઝમાં જીતનો ફેંસલો પોતાના તરફ કર્યો છે. ભારતીય ટીમ હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 3-1થી વિજયી લીડ ધરાવે છે. અંતિમ મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણી 4-1થી સમાપ્ત કરવા માંગશે. ભારતીય ટીમની બેટિંગ ઉપરાંત બોલિંગ પણ રાયપુરમાં સારી રહી હતી. 174ના સ્કોરનો બચાવ કરતી વખતે ભારતીય બોલરોએ પોતાની પૂરી તાકાતનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી હતી. આગામી મેચ રવિવારે બેંગલુરુમાં રમાશે, આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જોવા જેવી રહેશે. આ પ્લેઇંગ 11માં મોટા ફેરફાર થઈ શકે છે.

ઓપનર બેટ્સમેન

યશસ્વી જયસ્વાલની વિસ્ફોટકતા ઓપનિંગ સ્લોટમાં સતત જોવા મળી રહી છે. તે ઝડપી બેટિંગ કરીને બોલરો પર દબાણ બનાવે છે. ઋતુરાજ ગાયકવાડ તેની સાથે રહે છે. તે પોતાનો સમય પણ લે છે અને સેટ થયા બાદ ઝડપથી બેટિંગ કરવાનું શરૂ કરે છે. બંને ફરી એકવાર મેદાનમાં ઉતરશે.

મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડર

વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐય્યર છેલ્લી મેચમાં રમ્યો ન હતો પરંતુ આ વખતે પણ તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. તેના પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવે છે. રિંકુ સિંહે પોતાના પ્રદર્શનથી પોતાની જગ્યા બનાવી લીધી છે અને તે આગામી મેચમાં પણ રમતા જોવા મળશે. તેના સિવાય વિકેટકીપર જીતેશ શર્મા પણ આગામી મેચમાં રમતા જોવા મળી રહ્યા છે. જીતેશ શર્માએ છેલ્લી મેચમાં ધમાકો કર્યો હતો. અક્ષર પટેલ ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે પરંતુ તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદર પણ રમી શકે છે. આ જોઈ શકાય તેવો ફેરફાર હોઈ શકે છે.

બોલર

રવિ બિશ્નોઈએ સ્પિન વિભાગમાં રન રોકવામાં સારૂં પ્રદર્શન કર્યું છે. બિશ્નોઈ ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. મુકેશ કુમાર છેલ્લી મેચમાં મોંઘો સાબિત થયો હતો. મુકેશની જગ્યાએ અર્શદીપ સિંહને પરત લાવી શકાય છે. દીપક ચહર અન્ય ઝડપી બોલર હશે અને અવેશ ખાનને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાનું નિશ્ચિત જણાય છે. એકંદરે જોવામાં આવે તો ભારતીય ટીમમાં બે ફેરફાર જોવા મળી શકે છે.

  • Follow us on: