- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- લખનઉના ઈકાના સ્ટેડિયમમાં મેચ
- CM યોગી સહિત અનેક VVIP મેચ નિહાળશે
વર્લ્ડકપ 2023ની મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લખનઉમાં યોજાશે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ આવે તેવી સંભાવના છે, આજે મેચ જોવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી શકે છે.
લખનઉમાં થનારી ભારત-ઈંગ્લેન્ડ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે સવારથી ક્રિકેટ ફેન્સ લખનનઉમાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મેચની તમામ 50 હજાર ટિકિટ બુક થઈ ગઈ છે. આ મેચ જોવા માટે CM યોગી આદિત્યનાથ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, BBCI પ્રમુખ રોજર બિની અને સેક્રેટરી જય શાહ પણ આવશે.













