• આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ
  • ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે મેચ
  • ICCએ સેમિફાઈનલને લઈને નિયમો જાહેર કર્યા

T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ થોડા કલાકોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ તેમાં જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ગયાનામાં રમાવાની છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો ટોસ પહેલા વરસાદ પડે તો મેચમાં વિલંબ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે. આ કારણોસર આ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો ન હતો. જોકે ICCએ આ મેચ માટે વધારાનો સમય રાખ્યો છે. આ સાથે ઓવરની કપાત અંગેના નિયમો પણ જાહેર કર્યા  છે.

ઓવરો કપાવાની શરૂઆત ક્યારે થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે ઘણો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. જો સતત વરસાદ પડે અને તે બંધ ન થાય તો 12.10 વાગ્યા પછી ઓવરો કપાવા લાગશે.

10-10 ઓવરની મેચો માટે પણ કટઓફ સમય નક્કી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વરસાદની સ્થિતિમાં 10-10 ઓવરની મેચ પણ રમાઈ શકે છે. આ માટે કટ ઓફનો સમય બપોરે 01.44 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય અનેક પ્રકારના નિયમો પણ ઘડવામાં આવ્યા છે.

ભારતને ફાઇનલમાં સ્થાન મળશે.

જો ભારત-ઈંગ્લેન્ડ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો રોહિત શર્માની ટીમને ફાયદો થશે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે અને અહીં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સાથે થશે. વાસ્તવમાં, જો બીજી સેમિ-ફાઇનલ મેચ રદ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમને ફાઇનલમાં જવાની તક મળશે.

  • Follow us on: