- કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી
- મિડલ ઓર્ડમાં બેટીંગ કરશે સંજુ સેમસન
- આ વનડે સિરીઝમાં વિકેટકીપિંગ કરશે કેએલ રાહુલ
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવ્યો છે. સંજુ સેમસનના ODIના આંકડા શાનદાર છે પરંતુ 2023માં સૂર્યકુમાર યાદવનો ODIમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. T20નો બાદશાહ સ્કાય ODIમાં અસરકારક સાબિત થયો ન હતો. જે બાદ હવે સાઉથ આફ્રિકા ટુર (IND vs SA) માટે સંજુ સેમસનની રાહનો અંત આવવાનો છે. 17 ડિસેમ્બરે પ્રોટીઝ ટીમ સામે વનડે સીરીઝ શરૂ થાય તે પહેલા કેએલ રાહુલે સંકેત આપ્યા છે કે સેમસનને આ સીરીઝમાં સારું રમવાની તક મળી શકે છે.
સંજુ સેમસને આ વર્ષમાં માત્ર 2 ODI રમી
ODIની વાત કરીએ તો સંજુ સેમસને અત્યાર સુધી આખા વર્ષમાં માત્ર 2 ODI મેચ રમી છે. સેમસન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર બીજી અને ત્રીજી ટી20માં બેટિંગ કરવા આવ્યો હતો. તે દરમિયાન તેણે શ્રેણીની છેલ્લી મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વનડે શ્રેણીની શરૂઆત પહેલા, કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં 5 કે 6 નંબર પર બેટિંગ કરશે.
વિકેટ કીપર નહીં હોય સંજુ સેમસન
સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવશે. પરંતુ રાહુલે સ્પષ્ટ કર્યું કે તે વિકેટકીપિંગ પોતે કરશે. તેણે કહ્યું, 'હું આ વનડે સિરીઝમાં વિકેટકીપિંગ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીશ. ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન અને મેનેજમેન્ટ ઈચ્છે તેવી કોઈપણ ભૂમિકા ભજવવા માટે ખુશ થશે. હા, ટી20માં પણ હું મારા દેશ માટે રમવા માંગુ છું.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, આકાશ દીપ.