- ભારત અને શ્રીલંકા વચ્ચે T20ની પ્રથમ મેચ 27 જૂલાઈથી રમાશે
- શ્રીલંકાના બોલર બિનુરા ફર્નાન્ડોની તબિયત ખરાબ થઈ ગઈ
- તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20ની પ્રથમ મેચ 27 જૂલાઈથી રમાશે. આ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ફાસ્ટ બોલર બિનુરા ફર્નાન્ડોની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તે ભારત સામે પ્રથમ મેચ રમશે કે નહીં તે હજુ નક્કી નથી.
ફર્નાન્ડોના સ્થાને આ ખેલાડી સ્ટેન્ડબાય તરીકે સામેલ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા તેણે લખ્યું, 'બિનુરા ફર્નાન્ડોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં ઈન્ફેક્શન હતું. તેના સ્થાને રમેશ મેન્ડિસને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વધુ બે બોલર ટીમની બહાર
ભારત સામેની સિરીઝ પહેલા શ્રીલંકાને ઘણા મોટા આંચકાઓ લાગ્યા છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નુવાન તુશારા આંગળીમાં ઈજાના કારણે આ T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા થઈ હતી. ટીમ મેનેજરે નુવાન તુશારાની ઈજાની પુષ્ટિ કરી હતી. આ પહેલા દુષ્મંથા ચમીરા પણ ઈજાના કારણે ભારત સામેની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.
T20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
દિનેશ ચંદીમલ, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, કુસલ પરેરા, ચરિથ અસલંકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, ચામિન્દુ વિક્રમસિંઘે, બિનુરા ફર્નાન્ડો,અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા, મથિશા પથિરાના, મહેશ તિક્ષ્ણા, દુનિથ વેલાલાગે.
રિઝર્વ પ્લેયર: રમેશ મેન્ડિસ